Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘થ્રી ઇડિયટ્સ’ના રેંચોનું મૌન લોકોને કઠ્યું, ચતુર ઉર્ફે ઓમી વૈદ્યે સોનમ વાંગચુકને ટેકો આપતા કહ્યું...

‘થ્રી ઇડિયટ્સ’ના રેંચોનું મૌન લોકોને કઠ્યું, ચતુર ઉર્ફે ઓમી વૈદ્યે સોનમ વાંગચુકને ટેકો આપતા કહ્યું...

Published : 14 July, 2026 04:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વચ્ચે `થ્રી ઇડિયટ્સ`ના ઓમી વૈદ્યએ સમર્થન આપ્યું. વીડિયો બાદ આમિર ખાનના મૌનને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થયું. અભય દેઓલ, ઝીનત અમાન સહિતના એક્ટર અને રાજકારણીઓએ પણ ટેકો આપ્યો. ‘ફુંસુકને મરવા ન દો, કહ્યું ચતુરે.

સોનમ વાંગચુક સાથે ઓમી વૈદ્ય - તસવીર સોશ્યલ મીડિયા

સોનમ વાંગચુક સાથે ઓમી વૈદ્ય - તસવીર સોશ્યલ મીડિયા


કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનમાં હાલમાં સોનમ વાંગચુક (Sonam Wangchuk) અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. સતત ઉપવાસના કારણે તેમની તબિયત લથડી રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ના જાણીતા અભિનેતા ઓમી વૈદ્ય (જેમણે ચતુરનું પાત્ર ભજવ્યું હતું) સોનમ વાંગચુકના સમર્થનમાં આગળ આવ્યા છે અને એક વીડિયો જાહેર કર્યો છે. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનેતા આમિર ખાન જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે.

ઓમી વૈદ્યનો સોનમ વાંગચુક માટે ભાવુક સંદેશ



ઓમી વૈદ્યે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને વાંગચુકની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વીડિયોમાં તે કહે છેઃ વાસ્તવિક પ્રેરણા: "હું નથી ઈચ્છતો કે ફુંસુક વાંગડુ મરી જાય. તમે બધા જાણો છો કે ‘થ્રી ઇડિયટ્સ’નું ફુંસુક વાંગડુનું પાત્ર વાસ્તવિક જીવનમાં લદ્દાખના મહાન એન્જિનિયર, ઇનોવેટર અને ગણનાપાત્ર સુધારક સોનમ વાંગચુક પર આધારિત છે." સ્થિતિ અત્યંત ગંભીર: "હાલમાં તેઓ ખૂબ લાંબી ભૂખ હડતાળ પર છે અને તેમનું બ્લડ શુગરનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. તમે તેમના વિચારો સાથે સહમત હો કે ન હો, પરંતુ હું બિલકુલ નથી ઈચ્છતો કે તેમનું અવસાન થાય." લોકોને અપીલ: "કૃપા કરીને એક ક્ષણ માટે થોભો અને જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. ફુંસુક વાંગડુને મરવા ન દો, અને મને ખાતરી છે કે તમે પણ એવું નહીં ઈચ્છો."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Omi Vaidya (@omivaidya_official)


સોશિયલ મીડિયા પર આમિર ખાનનું ટ્રોલિંગ કેમ? 

ઓમી વૈદ્યના આ વીડિયો બાદ ફેન્સ તેમના આ પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ તેની સાથે જ કમેન્ટ સેક્શનમાં લોકો આમિર ખાન પર ગુસ્સો ઠાલવી રહ્યા છે: ફિલ્મમાં જેમના જીવન પરથી પ્રેરણા લઈને આમિર ખાને મુખ્ય પાત્ર ભજવ્યું હતું, તે સોનમ વાંગચુકના આટલા મોટા આંદોલન પર આમિર ખાને હજી સુધી મૌન ધારણ કરી રાખ્યું છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે, "રીઅલ લાઇફમાં આજે ‘ચતુર’ (ઓમી) બોલ્યો છે, પરંતુ ‘રેંચો’(આમિર ખાન) હજી પણ ચૂપ છે." આ મુદ્દે લોકો ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ચુપકીદી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

 

સેલિબ્રિટીઝ અને અગ્રણીઓનું મળેલું સમર્થન

સોનમ વાંગચુકની આ ભૂખ હડતાળને દેશભરમાંથી વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓ અને બૉલીવૂડ કલાકારોનું સમર્થન મળી રહ્યું છે:

ઝીનત અમાન અને અભય દેઓલ: અભિનેત્રી ઝીનત અમાન સોનમ વાંગચુકના સમર્થનમાં આગળ આવ્યા છે અને વાંગચુકની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અભિનેતા અભય દેઓલે પણ આ મામલે ચિંતા જાહેર કરી છે.

નસીરુદ્દીન શાહ અને અરુંધતી રોય: પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ અને સામાજિક કાર્યકર્તા-લેખિકા અરુંધતી રોયે પણ આ વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ પ્રત્યે સંવેદનશીલતા દાખવી સરકારને જનતાનો અવાજ સાંભળવા અપીલ કરી છે.

મહુઆ મોઇત્રા: સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ મુદ્દાને ગંભીર ગણાવતા સોનમ વાંગચુકના અવાજને દબાવવાના પ્રયાસોની આકરી ટીકા કરી છે અને તેમના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

રાજકીય સમર્થન: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકારને `હૃદયહીન` ગણાવી સોનમ વાંગચુકને અનશન તોડવા અપીલ કરી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK