અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલની સક્રિયતા સતત વધી રહી છે. સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે નવા અભિયાનની શરૂઆત કરી છે.
સુનીતા કેજરીવાલ (તસવીર સૌજન્ય મિડ-ડે)
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલની સક્રિયતા સતત વધી રહી છે. સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે નવા અભિયાનની શરૂઆત કરી છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલની સક્રિયતા સતત વધી રહી છે. પતિની ધરપકડને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો શરૂ કર્યા પછી હવે તેમણે પાર્ટી માટે નવા અભિયાનની શરૂઆત કરી છે. `કેજરીવાલને આશીર્વાદ` (Kejriwal Ko Ashirwad) કેમ્પેઈનની શરૂઆત કરતાં સુનીતા કેજરીવાલે વૉટ્સએપ નંબર જાહેર કર્યો છે.
ADVERTISEMENT
સુનીતા કેજરીવાલે તેમના પતિની તુલના સ્વાતંત્ર્ય સેનાની સાથે કરી હતી અને કહ્યું હતું કે તેમના દરેક કણમાં દેશભક્તિ સમાયેલી છે. તેમણે કેન્દ્ર સરકાર પર એમ કહીને નિશાન સાધ્યું કે કેજરીવાલે તાનાશાહી દળોને પડકાર આપ્યો છે. સુનીતાએ કહ્યું, `તમે સાંભળ્યું જ હશે કે ગઈ કાલે અરવિંદજીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો તમે તે સાંભળ્યું ન હોય, તો કૃપા કરીને સાંભળો. તેમણે કોર્ટની સામે જે કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર હતી. તેઓ સાચા દેશભક્ત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશ સરમુખત્યારશાહી સામે આ રીતે લડ્યા હતા. હું છેલ્લા 30 વર્ષથી તેમની સાથે છું. તેમના શરીરના દરેક કણમાં દેશભક્તિ સમાયેલી છે. અરવિંદજીએ દેશની સૌથી શક્તિશાળી, ભ્રષ્ટ અને તાનાશાહી શક્તિઓની સામે પડકાર આપ્યો છે.
સુનીતા કેજરીવાલે એક વોટ્સએપ નંબર જાહેર કરીને લોકોને અરવિંદ કેજરીવાલને સમર્થન આપવા અપીલ કરી હતી. આ માટે તમારો સંદેશ અને શુભકામનાઓ મોકલવા કહ્યું. CMની પત્નીએ કહ્યું, `તમે અરવિંદ જીને તમારા ભાઈ અને તમારા પુત્ર કહ્યા છે. શું તમે આ લડાઈમાં તમારા પુત્ર અને ભાઈને સાથ નહીં આપો? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને આ લડાઈ લડીશું. હું તમને એક વોટ્સએપ નંબર આપી રહી છું- 8297324624. આજથી અમે એક અભિયાન શરૂ કરી રહ્યાં છીએ, જેનું નામ છે કેજરીવાલ કો આશીર્વાદ (Kejriwal Ko Ashirwad). તમે આ વોટ્સએપ નંબર પર તમારા અરવિંદને આશીર્વાદ, શુભકામનાઓ, પ્રાર્થના અથવા કોઈપણ સંદેશ મોકલી શકો છો. સુનીતા કેજરીવાલે કહ્યું કે તે જેલમાં કેજરીવાલને દરેક સંદેશ પહોંચાડશે.
આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાનું ખોટું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે - કેજરીવાલ
Kejriwal Ko Ashirwad: રેડ્ડી અરબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર છે અને આ કેસમાં સરકારના સાક્ષી બનેલા સહ-આરોપીમાંથી એક છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાની ખોટી તસવીર દેશ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તેઓ EDની તપાસનો સામનો કરવા તૈયાર છે. આ મામલામાં 21 માર્ચે AAPના રાષ્ટ્રીય કન્વીનરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન તપાસમાં સહકાર આપવા માગે છે પરંતુ EDના આધારે નહીં, જેના માટે એજન્સી તેમની કસ્ટડી વધારવાની વિનંતી કરી રહી છે.