Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી સરકાર જેલમાંથી નહીં ચલાવાય : વી. કે. સક્સેના

દિલ્હી સરકાર જેલમાંથી નહીં ચલાવાય : વી. કે. સક્સેના

28 March, 2024 08:16 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇમ્સ નાઓ ચૅનલ દ્વારા આયોજિત સમિટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હીની સરકાર જેલમાંથી ચાલશે?

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પૉલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની કસ્ટડીમાં છે અને તેમણે રાજીનામું આપ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સતત કહી રહ્યા છે કે દિલ્હીની સરકારને અરવિંદ કેજરીવાલ જેલમાંથી ચલાવશે, પરંતુ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માગું છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. ટાઇમ્સ નાઓ ચૅનલ દ્વારા આયોજિત સમિટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હીની સરકાર જેલમાંથી ચાલશે? શું દિલ્હીના લોકો અસહાય મહેસૂસ કરશે? આ સવાલના જવાબમાં તેમણે ઉપરોક્ત ખાતરી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 08:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK