Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર જમ્મુથી અમરનાથ યાત્રા એક દિવસ માટે રોકવામાં આવી

કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર જમ્મુથી અમરનાથ યાત્રા એક દિવસ માટે રોકવામાં આવી

Published : 06 August, 2026 10:51 AM | IST | Amarnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી

આર્ટિકલ 370 નાબૂદ થયો એની સાતમી વર્ષગાંઠ ગઈ કાલે જમ્મુમાં ગોરખા સમુદાયે સ્પેશ્યલ કેક બનાવડાવીને ઊજવી હતી.

આર્ટિકલ 370 નાબૂદ થયો એની સાતમી વર્ષગાંઠ ગઈ કાલે જમ્મુમાં ગોરખા સમુદાયે સ્પેશ્યલ કેક બનાવડાવીને ઊજવી હતી.


જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ગઈ કાલે જમ્મુના ભગવતી નગર બેઝ કૅમ્પથી અમરનાથ યાત્રાની કોઈ નવી ટુકડી રવાના થઈ નહોતી. પહલગામ અને બાલતાલ જતા યાત્રાળુઓને રોકવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



આર્ટિકલ 370 નાબૂદ કરવાનો વિરોધ કરતા પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ગઈ કાલે જમ્મુમાં ઘર્ષણ થયું હતું.


બીજી તરફ નૅશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) સહિત અનેક પ્રાદેશિક પક્ષોએ એને બ્લૅક ડે તરીકે પાળ્યો અને વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેને દેશના બંધારણીય ઇતિહાસમાં ઐતિહાસિક અને નિર્ણાયક દિવસ ગણાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 10:51 AM IST | Amarnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK