Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે

મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે

15 March, 2023 11:50 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સજાતીય લગ્નોના મામલે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


સમલખા (હરિયાણા) : સજાતીય લગ્નનો મુદ્દો અદાલતમાં છે. દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી એના વિશે એક સ્ટેટમેન્ટ આવ્યું છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ ગઈ કાલે કહ્યું હતું કે આરએસએસ સજાતીય લગ્નો વિશે કેન્દ્ર સરકારના વલણથી સંમત છે. તેમણે દાવો કર્યો છે કે મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે. 

હરિયાણાના સમલખામાં આયોજિત આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક દરમ્યાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મૅરેજ કોઈ સમજૂતી નથી, પરંતુ સંસ્કાર છે અને સંઘ સમાજ અનુસાર વાત કરે છે. આપણા કલ્ચર અને વિચારોમાં મૅરેજ માત્ર મજા માટે નથી, એ એક સંસ્થા છે.’



વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપવાની માગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે એ પર્સનલ લૉ અને સ્વીકાર્ય સામાજિક મૂલ્યોના નાજૂક સંતુલનને સંપૂર્ણપણે તોડી નાખશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK