° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે

15 March, 2023 11:50 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સજાતીય લગ્નોના મામલે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

સમલખા (હરિયાણા) : સજાતીય લગ્નનો મુદ્દો અદાલતમાં છે. દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી એના વિશે એક સ્ટેટમેન્ટ આવ્યું છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ ગઈ કાલે કહ્યું હતું કે આરએસએસ સજાતીય લગ્નો વિશે કેન્દ્ર સરકારના વલણથી સંમત છે. તેમણે દાવો કર્યો છે કે મૅરેજ માત્ર અપોઝિટ જેન્ડરની વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે. 

હરિયાણાના સમલખામાં આયોજિત આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક દરમ્યાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મૅરેજ કોઈ સમજૂતી નથી, પરંતુ સંસ્કાર છે અને સંઘ સમાજ અનુસાર વાત કરે છે. આપણા કલ્ચર અને વિચારોમાં મૅરેજ માત્ર મજા માટે નથી, એ એક સંસ્થા છે.’

વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપવાની માગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે એ પર્સનલ લૉ અને સ્વીકાર્ય સામાજિક મૂલ્યોના નાજૂક સંતુલનને સંપૂર્ણપણે તોડી નાખશે. 

15 March, 2023 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર

લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.

24 March, 2023 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

24 March, 2023 11:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.

24 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK