મુલાયમ સિંહ અત્યારે લોકસભામાં મૈનપુરીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
મુલાયમ સિંહ
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવનું આરોગ્ય ગઈ કાલે કથળ્યું હતું. તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલના આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ અનેક દિવસથી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા, પરંતુ ગઈ કાલે તેમની તબિયત કથળતાં તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દરમ્યાનમાં અખિલેશ યાદવને તેમના પિતાના આરોગ્ય વિશે સમાચાર મળતાં જ તેઓ લખનઉથી ગુરુગ્રામ જવા માટે રવાના થયા હતા. મુલાયમ સિંહ અત્યારે લોકસભામાં મૈનપુરીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.