Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રખડતા શ્વાનોની સંખ્યા નિયંત્રિત થવી જોઈએ, શેલ્ટર હોમ સૉલ્યુશન નથી : મોહન ભાગવત

રખડતા શ્વાનોની સંખ્યા નિયંત્રિત થવી જોઈએ, શેલ્ટર હોમ સૉલ્યુશન નથી : મોહન ભાગવત

Published : 16 August, 2025 12:13 PM | IST | Cuttack
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસ માટે ઓડિશાની મુલાકાતે ગયેલા મોહન ભાગવતે ગુરુવારે કટકમાં આયોજિત એક ધાર્મિક સભામાં રખડતા શ્વાનના મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો

મોહન ભાગવત

મોહન ભાગવત


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે રખડતા શ્વાનની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાથી સમસ્યાનું સમાધાન નહીં આવે, એમની સંખ્યાને નિયંત્રિત કરવી એ જ એક ઉપાય છે.

બે દિવસ માટે ઓડિશાની મુલાકાતે ગયેલા મોહન ભાગવતે ગુરુવારે કટકમાં આયોજિત એક ધાર્મિક સભામાં રખડતા શ્વાનના મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં રખડતા શ્વાનોને ૮ અઠવાડિયાંમાં શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ દેશભરના લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે ‘મનુષ્ય અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. વિકાસ અને પર્યાવરણ બન્નેનું સંતુલિત સહઅસ્તિત્વ આવશ્યક છે.’
કટકમાં આયોજિત આ સભામાં ૫૦૦થી વધુ સંતો ઉપસ્થિત હતા.



ગુરુવારે ફેરસુનાવણી દરમ્યાન ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની વિશેષ ખંડપીઠે તમામ પક્ષકારોને સાંભળીને પોતાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2025 12:13 PM IST | Cuttack | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK