Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો

AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો

Published : 28 April, 2026 09:14 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની રાજ્યસભાની મંજૂરી BJPના હવે ૧૧૩ સંસદસભ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આમ આદમી પાર્ટી (AAP)ના ૭ બળવાખોર સંસદસભ્યોને રાજ્યસભાના સચિવાલય તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભેળવી દેવાની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાના સચિવાલયે ગઈ કાલે સવારે આ વિશે એક સૂચના જાહેર કરી હતી. BJP પાસે હાલમાં રાજ્યસભામાં ૧૦૬ બેઠકો છે, પરંતુ વિલીનીકરણની જાહેરાત અને રાજ્યસભાના અધ્યક્ષની મંજૂરી પછી આ સંખ્યા વધીને ૧૧૩ થશે. AAPની સંખ્યા ઘટીને ફક્ત ૩ થઈ જશે, જ્યારે કૉન્ગ્રેસના રાજ્યસભામાં ૨૯ સંસદસભ્યો છે.

શુક્રવારે રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે AAPના ૭ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ આને AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યોને BJPમાં ભેળવી દેવા તરીકે જણાવીને તેમણે રાજ્યસભાને પત્ર લખીને પણ વિલય માટે પરવાનગી માગી હતી. ગઈ કાલે આ સંદર્ભમાં રાજ્યસભાના સચિવાલયે વિલયને મંજૂરી આપતું જાહેરનામું બહાર 
પાડ્યું હતું.



રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?


રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશથી વધુ સંસદસભ્યો BJPમાં ભળી ગયા છે. રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરાયેલા દસ્તાવેજ પર ૭ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. મેં અન્ય બે સંસદસભ્યો સાથે વ્યક્તિગત રીતે સહી કરેલો દસ્તાવેજ સુપરત કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 09:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK