Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે રાજનાથ સિંહ પણ રશિયાની વિક્ટરી-ડે પરેડમાં નહીં જાય

હવે રાજનાથ સિંહ પણ રશિયાની વિક્ટરી-ડે પરેડમાં નહીં જાય

Published : 04 May, 2025 03:35 PM | Modified : 05 May, 2025 06:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૪૫ની ૯ મેએ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીને રશિયાએ હરાવ્યું હતું, એ દિવસે સોવિયત સંઘે પ્રથમ વિજય-દિવસની ઉજવણી કરી હતી. રશિયાનો વિજય-દિવસ એ બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામેલા એના સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ


પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચરમસીમાએ છે ત્યારે આગામી ૯ મેએ રશિયાની રાજધાની મૉસ્કોમાં આયોજિત વિક્ટરી-ડે પરેડમાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાજરી નહીં આપે. તેમના સ્થાને સંરક્ષણ રાજ્યપ્રધાન સંજય શેઠને રશિયા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા, પરંતુ પાકિસ્તાન સાથે ઊકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થતાં તેમણે વિદેશપ્રવાસ રદ કર્યો હતો. તેમની જગ્યાએ રાજનાથ સિંહને મોકલવાના હતા, પરંતુ હવે તેઓ પણ રશિયા નહીં જાય.


૧૯૪૫ની ૯ મેએ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીને રશિયાએ હરાવ્યું હતું, એ દિવસે સોવિયત સંઘે પ્રથમ વિજય-દિવસની ઉજવણી કરી હતી. રશિયાનો વિજય-દિવસ એ બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામેલા એના સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK