Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો પાકિસ્તાન આતંકવાદના વિરોધમાં કાર્યવાહી કરવામાં સક્ષમ ન હોય તો ભારત મદદ કરી શકે : રાજનાથ સિંહ

જો પાકિસ્તાન આતંકવાદના વિરોધમાં કાર્યવાહી કરવામાં સક્ષમ ન હોય તો ભારત મદદ કરી શકે : રાજનાથ સિંહ

Published : 30 July, 2025 07:47 AM | Modified : 31 July, 2025 06:57 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજનાથ સિંહે ગૃહને માહિતી આપી હતી કે પહલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે. એ માટે તેમણે સુરક્ષા દળોને અભિનંદન પણ આપ્યાં હતાં.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ


રાજ્યસભામાં ઑપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા શરૂ કરતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન એની ધરતી પર આતંકવાદ સામે કાર્યવાહી કરી શકતું ન હોય તો ભારત પાડોશી દેશને મદદ કરવા તૈયાર છે, કારણ કે ભારતીય દળો સરહદની બીજી બાજુ પણ આતંકવાદ સામે લડવા સક્ષમ છે. આ ઑપરેશન સિંદૂર દ્વારા સાબિત થયું છે.’

રાજનાથ સિંહે ગૃહને માહિતી આપી હતી કે પહલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે. એ માટે તેમણે સુરક્ષા દળોને અભિનંદન પણ આપ્યાં હતાં.



રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘પહલગામ હુમલા પર ભારતનો જવાબ એવા ઑપરેશન સિંદૂરને સ્થગિત કરવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન ફરીથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થાય તો ગમે ત્યારે ફરી શરૂ કરી શકાય છે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં આતંકવાદનો અંત આવે. જો ભવિષ્યમાં પાકિસ્તાન કોઈ આતંકવાદી ઘટના કરે છે તો અમે ખચકાટ વિના ઑપરેશન સિંદૂર ફરીથી શરૂ કરીશું. અમારું વિઝન એ છે કે ઑપરેશન સિંદૂર સતત ચાલુ રહે; અલ્પવિરામ હોઈ શકે છે, પૂર્ણવિરામ નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK