Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Murder: બે દિવસ પહેલા કર્યા નિકાહ, રિસેપ્શન પહેલા લીધો જીવ, પછી કર્યો આપઘાત

Murder: બે દિવસ પહેલા કર્યા નિકાહ, રિસેપ્શન પહેલા લીધો જીવ, પછી કર્યો આપઘાત

22 February, 2023 05:53 PM IST | Raipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પહેલા દુલ્હાએ દુલ્હનની હત્યા કરી અને પછી દુલ્હાએ આપઘાત કરી લીધો. આ હત્યાકાંડ બાદ રાયપુરમાં હાહાકાર મચ્યો છે. ઘટનાસ્થળ પર પોલીસના અધિકારી કેસની તપાસ કરવા પહોંચી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


છત્તીસગઢની (Chhattisgarh) રાજધાની રાયપુરમાં (Raipur) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નને બે દિવસ પછી દુલ્હાએ પોતાની દુલ્હનની હત્યા કરી દીધી. મંગળવારે રાતે નિકાહના લગ્નમાં રિસેપ્શન પાર્ટી હતી પણ ઘરમાં મહાતમનો માહોલ છે. પહેલા દુલ્હાએ દુલ્હનની હત્યા કરી અને પછી દુલ્હાએ આપઘાત કરી લીધો. આ હત્યાકાંડ બાદ રાયપુરમાં હાહાકાર મચ્યો છે. ઘટનાસ્થળ પર પોલીસના અધિકારી કેસની તપાસ કરવા પહોંચી ગયા છે.

હકિકતે 19 ફેબ્રુઆરીના નવ દંપત્તિએ નિકાહ કર્યા અને 21 ફેબ્રુઆરીના રિસેપ્શન પાર્ટી પહેલા બન્નેએ મૃત્યુને ભેટી પડ્યા. પરિવારના બધા સંબંધીઓ રિસેપ્શનની તૈયારી કરી રહ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. આ દરમિયાન દુલ્હો દુલ્હન પોતાના રૂમમાં તૈયાર થવા ગયા. પણ બન્ને વચ્ચે આંતરિક મતભેદ થયા અને ત્યાર બાદ દુલ્હાએ ધારદાર હથિયારથી પોતાની દુલ્હનની હત્યા કરી દીધી.



રિસેપ્શનના દિવસે ફેલાયું માતમ
આ ઘટનાનો એક વીડિયો હજી પણ વાયરલ થઈ રહ્યો છે. આમાં રૂમમાં લોહીના ટીપાં અને તે બન્ને વચ્ચે થયેલા સંઘર્ષના પુરાવા જોવા મળે છે. બેડ પર દુલ્હનની બૉડી અને જમીન પર દુલ્હાનું શબ પડ્યું છે. રાયપુર પોલીસે આ હત્યાકાંડની તપાસ શરૂ કરી દીધી છે અને બન્નેની બૉડી પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ માટે મેકાહારા મોકલી દીધી છે. જો કે, પોલીસ આ હત્યાકાંડ પાછળનું કારણ હજી શોધી શકી નથી. તો આ હત્યાકાંડ પર ટિકારાપારા પોલીસે જણાવ્યું કે દુલ્હો-દુલ્હન રાયપુરના રહેવાસી છે. અસલમ અહમદના નિકાહ 19 ફેબ્રુઆરીના રોજ કહકશાં બાનો સાથે થયા હતા. આના બે દિવસ પછી 21 ફેબ્રુઆરીની રાતે રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.


આ પણ વાંચો : Gujarat: માતૃભાષા માટે સરકાર લાદશે કડક કાયદો, અંગ્રેજીની સાથે ગુજરાતી પણ ફરજિયાત

રિસેપ્શન માટે તૈયાર થવા ગયા હતા દુલ્હો-દુલ્હન
પોલીસે આગળ જણાવ્યું કે બન્ને નવ વિવાહિત પતિ-પત્ની પોતાના રૂમમાં રિસેપ્શન માટે તૈયાર થવા ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરીને તૈયાર થઈ રહ્યા હતા. થોડોક સમય બાદ દુલ્હાની માએ પોતાની નવવિવાહિત પુત્રવધૂના ચીલ્લાવવાનો અવાજ સાંભળ્યો તો તે રૂમની નજીક ગઈ. થોડીકવારમાં દરવાજો ખખડાવીને અવાજ આપ્યો પણ દરવાજો ખુલ્યો નહીં. જેના પછી પોતાના પરિવાર અને સંબંધીજનોને માહિતી આફીને બોલાવ્યા અને રૂમની અંદર બારીમાં લગાડેલા પડદા ખેંચ્યા અને બારીમાં લગાડવામાં આવેલા લોખંડના રૉડ તોડીને જોયું તો બન્નેની બૉડી દેખાઈ.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2023 05:53 PM IST | Raipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK