રાષ્ટ્રપતિ-તપોવન હિમાલયની તળેટીમાં ૧૯ એકરમાં વિસ્તરેલું જંગલ છે જ્યાં દેશી વનસ્પતિઓથી સમૃદ્ધ ગાઢ જંગલ છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં છે. ગઈ કાલે તેમણે દેહરાદૂનમાં રાષ્ટ્રપતિ-નિકેતન અને રાષ્ટ્રપતિ-તપોવનનું લોકાર્પણ કર્યું હતું. પહેલી જુલાઈથી આ બન્ને આમ જનતા માટે ખુલ્લાં મુકાશે.
રાષ્ટ્રપતિ-તપોવન હિમાલયની તળેટીમાં ૧૯ એકરમાં વિસ્તરેલું જંગલ છે જ્યાં દેશી વનસ્પતિઓથી સમૃદ્ધ ગાઢ જંગલ છે. એમાં ૧૧૭ વનસ્પતિઓની પ્રજાતિ, બાવન પ્રકારનાં પતંગિયાં અને ૪૧ પંખીઓની પ્રજાતિ તેમ જ સાત જંગલી સસ્તન પ્રાણીઓ છે. આ ક્ષેત્રમાં પ્રાકૃતિક વાંસનો ઉપયોગ કરીને એકાંત વનસ્થળી કુટિર પણ બનાવી છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ-નિકેતનની સ્થાપના ૧૯૭૬માં રાષ્ટ્રપતિના નિવાસ તરીકે થઈ હતી. એની સમૃદ્ધ વિરાસત ૧૮૩૮થી ચાલી આવે છે. એ સમયે આ એસ્ટેટ ગવર્નર જનરલ માટે ઉનાળાના આવાસ તરીકે વપરાતી હતી. આ વન ૨૧ એકરમાં ફેલાયેલું છે જેમાં લિલી લેક, ઐતિહાસિક ઇમારતો, બાગ છે.
રાષ્ટ્રપતિની આંખોમાં આંસુ
ગઈ કાલે રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ હતો. દર વર્ષની જેમ તેમણે આ વર્ષે પણ જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ગાળ્યો હતો. દેહરાદૂનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન્સ વિધ વિઝ્યુઅલ ડિસેબિલિટીઝ સંસ્થાનાં બાળકોને તેઓ મળ્યાં હતાં. બાળકોએ તેમને ‘હૅપી બર્થ-ડે’ સૉન્ગ ગાઈને વિશ કર્યું ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

