° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


સુપ્રીમ કોર્ટમાં પુરુષો માટે રાષ્ટ્રીય કમિશનની માગણી કરતી અરજી દાખલ

16 March, 2023 12:30 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ૧,૧૮,૯૭૯ પુરુષોએ તથા ૪૫,૦૨૬ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જે ટકાવારીના હિસાબે જોઈએ તો અનુક્રમે ૭૨ ટકા અને ૨૭ ટકા રહી હતી.   

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

નવી દિલ્હી  (પી.ટી.આઇ.) : ઘરેલુ હિંસાને કારણે પરણીત પુરુષો દ્વારા આત્મહત્યાની સમસ્યાના ઉકેલ માટે તેમ જ પુરુષો માટે નૅશનલ કમિશનની માગ કરતાં સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે.  

ઍડ્વોકેટ મહેશકુમાર તિવારી દ્વારા ફાઇલ કરવામાં આવેલીઆ અરજીમાં જણાવાયું છે કે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા વર્ષ ૨૦૨૧માં જાહેર કરાયેલી આંકડાકીય વિગતો મુજબ એ વર્ષે દેશભરમાં ૧,૬૪,૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. આમાંથી ૮૧,૦૬૩ પરણીત પુરુષો હતા, જ્યારે ૨૮,૬૮૦ પરણીત મહિલાઓ હતી. 

આ પણ વાંચો: સજાતીય લગ્નોને મળશે માન્યતા? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કરશે સુનાવણી

અરજીમાં એનસીઆરબી દ્વારા પૂરી પાડવામાં આવેલા આંકડાકીય માહિતી મુજબ સંબંધિત વર્ષ દરમ્યાન ૩૩.૨ ટકા લોકોએ પારિવારિક સમસ્યાઓને લીધે તથા ૪.૮ ટકા લોકોએ લગ્નજીવન સંબંધિત તકલીફોને કારણે આત્મહત્યા કરી હતી. આ વર્ષે ૧,૧૮,૯૭૯ પુરુષોએ તથા ૪૫,૦૨૬ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જે ટકાવારીના હિસાબે જોઈએ તો અનુક્રમે ૭૨ ટકા અને ૨૭ ટકા રહી હતી.   

પિટિશનમાં નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને પરણીત પુરુષો દ્વારા આત્મહત્યાના મુદ્દાનો ઉકેલ લાવવા તેમ જ ઘરેલુ હિંસાનો ભોગ બનનારા પુરુષોની ફરિયાદ લેવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

16 March, 2023 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર

લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.

24 March, 2023 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

24 March, 2023 11:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.

24 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK