પદ્મશ્રી સન્માન મળ્યા બાદ તેલંગણ સરકારે પણ તેમનું સન્માન કર્યું હતું
દર્શનમ મુગુલૈયા
ભારત સરકારે કિન્નેરા નામના દુર્લભ સંગીતવાદ્યને પુનર્જીવિત કરનાર કલાકાર દર્શનમ મુગુલૈયાને ૨૦૨૨માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. જોકે લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આ કલાકારે હૈદરાબાદની કન્સ્ટ્રક્શન-સાઇટ પર મજૂરી કરવાની ફરજ પડી છે. પદ્મશ્રી સન્માન મળ્યા બાદ તેલંગણ સરકારે પણ તેમનું સન્માન કર્યું હતું એટલું જ નહીં, તેમને ૧ કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી. દર્શનમ મુગુલૈયા કહે છે કે ‘સહાયની રકમ સંતાનોનાં લગ્ન અને સારવાર પાછળ ખર્ચાઈ ગઈ હતી. મેં શહેરની નજીક જમીન ખરીદીને ઘર બનાવવાનું શરૂ કર્યું હતું, પણ એ દરમ્યાન બીમારી પાછળના ખર્ચ વધી જતાં મારી આર્થિક સ્થિતિ વણસી હતી.’
૯ સંતાનોના પિતા મુગુલૈયા કહે છે કે મેં મદદ માટે અધિકારીઓને અનેક વાર વિનંતી કરી હતી, પણ કોઈ પરિણામ ન મળતાં છેવટે મજૂરી કરવાની ફરજ પડી છે.