બીજેપી સામેના ત્રીજા મોરચા મુદ્દે ચર્ચા
બેઠક બાદની તસવીર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચીફ શરદ પવારે ગઈ કાલે સાંજે અહીં પોતાના નિવાસસ્થાને શાસક બીજેપી વિરોધી અનેક પક્ષોના નેતાઓ સાથે મીટિંગ કરી હતી જેમાં દેશ સામે પડકારરૂપ બનેલા બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ પર તેમ જ બીજેપી સામે ત્રીજો મોરચો સંગઠિત કરવા સંબંધમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે. અઢી કલાક ચાલેલી આ બેઠકમાં હાજર નેતાઓ ટીએમસી, આપ, સમાજવાદી પક્ષ, આરએલડી તથા ડાબેરી પક્ષોનો સમાવેશ હતો. ગીતકાર જાવેદ અખ્તર તથા ઓમર અબદુલ્લા પણ પવારને મળ્યા હતા.