Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૬ જહાજ અને ૭ ડિસ્ટ્રૉયર : કરાચી પર હુમલો કરવા અરબી સમુદ્રમાં ભારતનું નૌકાદળ રેડી હતું

૩૬ જહાજ અને ૭ ડિસ્ટ્રૉયર : કરાચી પર હુમલો કરવા અરબી સમુદ્રમાં ભારતનું નૌકાદળ રેડી હતું

Published : 15 May, 2025 11:53 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની ૭ ડિસ્ટ્રૉયરમાં બ્રહ્મોસ મિસાઇલ તહેનાત છે જે ૪૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑપરેશન સિંદૂર વખતે ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કરાચી પાસે ૩૬ ફાઇટર જહાજો તહેનાત કર્યાં હતાં જેમાં સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત, ૭ ડિસ્ટ્રૉયર, ૭ ફ્રિગેટ, સબમરીનો અને ફાઇટર નૌકાઓનો સમાવેશ થતો હતો.


૪૦,૦૦૦ ટનના INS વિક્રાંત પર મિગ-29K ફાઇટર પ્લેન, કામોવ હેલિકૉપ્ટર અને ઍર વૉર્નિંગ કાઉન્ટર મેકૅનિઝમનો સમાવેશ થાય છે. એની સાથે જ આઠથી ૧૦ ફાઇટર જહાજોનું ગ્રુપ તહેનાત હતું. આ સમૂહે અરબી સમુદ્રમાં એવી અભેદ્ય દીવાલ બનાવી હતી કે પાકિસ્તાનની નૌસેના અને વાયુસેના તટ પરથી આગળ વધી શકી નહોતી.



ભારતની ૭ ડિસ્ટ્રૉયરમાં બ્રહ્મોસ મિસાઇલ તહેનાત છે જે ૪૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે અને અવાજની સ્પીડ કરતાં ૨.૮ ગણી સ્પીડથી લક્ષ્ય પર હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય પરમાણુ સંચાલિત INS અરિહંત અને સ્કૉર્પિયન શ્રેણીની સબમરીન જેવી કે INS કલવારીનો સમાવેશ હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2025 11:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK