ભારતની ૭ ડિસ્ટ્રૉયરમાં બ્રહ્મોસ મિસાઇલ તહેનાત છે જે ૪૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર વખતે ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કરાચી પાસે ૩૬ ફાઇટર જહાજો તહેનાત કર્યાં હતાં જેમાં સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત, ૭ ડિસ્ટ્રૉયર, ૭ ફ્રિગેટ, સબમરીનો અને ફાઇટર નૌકાઓનો સમાવેશ થતો હતો.
૪૦,૦૦૦ ટનના INS વિક્રાંત પર મિગ-29K ફાઇટર પ્લેન, કામોવ હેલિકૉપ્ટર અને ઍર વૉર્નિંગ કાઉન્ટર મેકૅનિઝમનો સમાવેશ થાય છે. એની સાથે જ આઠથી ૧૦ ફાઇટર જહાજોનું ગ્રુપ તહેનાત હતું. આ સમૂહે અરબી સમુદ્રમાં એવી અભેદ્ય દીવાલ બનાવી હતી કે પાકિસ્તાનની નૌસેના અને વાયુસેના તટ પરથી આગળ વધી શકી નહોતી.
ADVERTISEMENT
ભારતની ૭ ડિસ્ટ્રૉયરમાં બ્રહ્મોસ મિસાઇલ તહેનાત છે જે ૪૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે અને અવાજની સ્પીડ કરતાં ૨.૮ ગણી સ્પીડથી લક્ષ્ય પર હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય પરમાણુ સંચાલિત INS અરિહંત અને સ્કૉર્પિયન શ્રેણીની સબમરીન જેવી કે INS કલવારીનો સમાવેશ હતો.

