Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Gyanvapi Case: જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ

24 May, 2022 05:25 PM IST | Varanasi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી જિલ્લા કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઈ હતી

જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ

જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ


જ્ઞાનવાપી મસ્જિદ કેસની આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે. આ કેસની આગામી સુનાવણી 26 મેના રોજ રાખવામાં આવી છે. સુનાવણી બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે 7 11 સીપીસી હેઠળની અરજી પર મુસ્લિમ પક્ષના પક્ષના આદેશની અરજી પર 26 મેના રોજ સુનાવણી થશે.” કોર્ટે બંને પક્ષોને એક સપ્તાહની અંદર કમિશનના રિપોર્ટ સામે વાંધો રજૂ કરવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી જિલ્લા કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઈ હતી. સુનાવણી દરમિયાન, અરજદાર હિંદુ પક્ષે માગ કરી હતી કે કોર્ટ સર્વેમાં રજૂ કરાયેલા પુરાવાઓ પર ધ્યાન આપે, ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવે. તો, મુસ્લિમ પક્ષે કેસની માન્યતા અંગે સુનાવણીની માગણી કરી હતી.



કોર્ટની બહાર મોટા પાયે પોલીસ બંદોબસ્ત


દરમિયાન, કોર્ટની સુનાવણી શરૂ થઈ તે પહેલા કોર્ટહાઉસની બહાર પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન માત્ર પક્ષકારો અને વકીલોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. અગાઉ સર્વે માટે નિયુક્ત કરાયેલા કોર્ટ કમિશનર અજય મિશ્રાને પણ યાદીમાં નામ ન હોવાથી પરત મોકલી દેવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 05:25 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK