સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી જિલ્લા કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઈ હતી
જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદ કેસની આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે. આ કેસની આગામી સુનાવણી 26 મેના રોજ રાખવામાં આવી છે. સુનાવણી બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે 7 11 સીપીસી હેઠળની અરજી પર મુસ્લિમ પક્ષના પક્ષના આદેશની અરજી પર 26 મેના રોજ સુનાવણી થશે.” કોર્ટે બંને પક્ષોને એક સપ્તાહની અંદર કમિશનના રિપોર્ટ સામે વાંધો રજૂ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી જિલ્લા કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઈ હતી. સુનાવણી દરમિયાન, અરજદાર હિંદુ પક્ષે માગ કરી હતી કે કોર્ટ સર્વેમાં રજૂ કરાયેલા પુરાવાઓ પર ધ્યાન આપે, ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવે. તો, મુસ્લિમ પક્ષે કેસની માન્યતા અંગે સુનાવણીની માગણી કરી હતી.
ADVERTISEMENT
કોર્ટની બહાર મોટા પાયે પોલીસ બંદોબસ્ત
દરમિયાન, કોર્ટની સુનાવણી શરૂ થઈ તે પહેલા કોર્ટહાઉસની બહાર પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન માત્ર પક્ષકારો અને વકીલોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. અગાઉ સર્વે માટે નિયુક્ત કરાયેલા કોર્ટ કમિશનર અજય મિશ્રાને પણ યાદીમાં નામ ન હોવાથી પરત મોકલી દેવામાં આવ્યા હતા.