રાકેશ્વર એકલો બેઠો હોવાની તસવીર સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરી હતી
રાકેશ્વરસિંહ મન્હાસ
છત્તીસગઢના સુકમા પાસે ગઈ ત્રીજી એપ્રિલે એન્કાઉન્ટર-સામસામા ગોળીબારની ઘટના પછી નક્સલી-માઓવાદીઓએ અપહરણ કરેલા સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ)ના કોબ્રા યુનિટના જવાન રાકેશ્વરસિંહ મન્હાસને ગઈ કાલે મુક્ત કરવામાં આવ્યો હતો. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે છોડવામાં આવેલા રાકેશ્વરને જંગલના અંતરિયાળ ભાગમાં છોડવામાં આવ્યા પછી તેને સી.આર.પી.એફ.ની તેરેમ છાવણીમાં પહોંચાડવામાં આવ્યો હતો.
રાકેશ્વર પાંચ વર્ષની બાળકીનો પિતા અને પરિવારનો એકમાત્ર આધાર હોવાથી તેને સલામત સ્થિતિમાં છોડાવવાનો અનુરોધ કમાન્ડોના કુટુંબીજનોએ કેન્દ્ર સરકારને કર્યો હતો. રાકેશ્વર એકલો બેઠો હોવાની તસવીર સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરી હતી. રાકેશ્વરને મુક્ત કરવામાં આવ્યા પછી તેની પત્ની મીનુએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.