Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શપથવિધિ ૯ જૂને સાંજે ૭.૧૫ વાગ્યે

શપથવિધિ ૯ જૂને સાંજે ૭.૧૫ વાગ્યે

08 June, 2024 06:51 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદીએ સરકાર રચવાનો દાવો કર્યા બાદ રાષ્ટ્રપતિએ આપ્યું આમંત્રણ

રાષ્ટ્ર​પતિભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને શુકનનાં દહીંસાકર ખવડાવ્યાં હતાં.

રાષ્ટ્ર​પતિભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને શુકનનાં દહીંસાકર ખવડાવ્યાં હતાં.


નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આ‍વ્યા બાદ તેઓ ગઈ કાલે સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિભવન ગયા હતા અને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. મોદીએ ભગવાન જગન્નાથની તસવીર ભેટ આપીને રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.


મોદીએ સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ હોવાના સાથીપક્ષોના પત્રો પણ સુપરત કર્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને રવિવારે ૯ જૂને રાત્રે ૭.૧૫ વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં નવી સરકારનો શપથવિધિ-સમારોહ યોજાશે.



રાષ્ટ્રપતિભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ BJP પ્રણિત NDAની પાસે નવી સરકાર રચવા માટે પૂરતું સમર્થન હોવાથી તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 06:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK