પ્રત્યેક ભારતીયને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે આથી પ્રત્યેકને રસી મળવી જ જોઈએ.
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) દેશમાં કોવિડ કેસમાં આવેલા ઉછાળા બાદ ભારતના તમામ નાગરિકો માટે રસીકરણની માગણી કરતાં કૉન્ગ્રેસ-નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે તમામ ભારતીયોને સુરક્ષિત જીવનનો અધિકાર છે, આથી તમામને રસી મળવી જ જોઈએ. રસીકરણની જરૂરિયાત અને તેની આવશ્યકતા પરની ચર્ચા હાસ્યાસ્પદ છે. પ્રત્યેક ભારતીયને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે આથી પ્રત્યેકને રસી મળવી જ જોઈએ. મંગળવારે આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે જેને આવશ્યક હશે તેમને રસી આપવામાં આવશે, જેને અનુલક્ષીને રાહુલ ગાંધીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.