Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રી રાજપૂત કરણી સેના અને કરણી સેના વચ્ચે ગોળીબાર, શિવસિંહ અને મહિપાલસિંહ જખમી

શ્રી રાજપૂત કરણી સેના અને કરણી સેના વચ્ચે ગોળીબાર, શિવસિંહ અને મહિપાલસિંહ જખમી

Published : 13 July, 2024 10:59 AM | Modified : 13 July, 2024 11:00 AM | IST | Jaipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shri Rajput Karni Sena and Karni Sena: પોલીસ તપાસમાં આ ઘટનાને વર્ચસ્વની લડાઈ માની રહી છે. જો કે ગોળી કોણે ચલાવી તે હજુ સુધી સામે આવ્યું નથી.

શિવસિંહ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા (તસવીર સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)

શિવસિંહ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા (તસવીર સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)


રાજસ્થાનના પાટનગર જયપુરમાં ફરી એકવાર ગોળીબારની મોટી ઘટના બની હતી. 12 જુલાઈ 2024ની શુક્રવારે રાત્રે રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના (Shri Rajput Karni Sena and Karni Sena) બે જૂથ વચ્ચે મોટા વિવાદ બાદ ગોળીબાર થયો હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવતે શ્રી રાજપૂત કરણી સેના જૂથ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. શિવસિંહ શેખાવત ગોળીબારમાં બચી ગયા હતા. આ ઘટના બાદ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણાને શિવસિંહના લોકોએ ભારે માર માર્યો હતો. આ મારપીટમાં તેઓ જખમી થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આ ઘટનાને વર્ચસ્વની લડાઈ માની રહી છે. જો કે ગોળી કોણે ચલાવી તે હજુ સુધી સામે આવ્યું નથી.


જયપુરના DCP પશ્ચિમ અમિત કુમાર બુડાનિયાએ જણાવ્યું કે “આ ઘટના શુક્રવારે મોડી રાત્રે ચિત્રકૂટ વિસ્તારમાં (Shri Rajput Karni Sena and Karni Sena) સ્થિત રાષ્ટ્રીય કરણી સેનાની ઑફિસમાં બની હતી. ઘટનાસ્થળેથી એક ગોળીનો શૅલ મળી આવ્યો છે. આ બાબતે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવતનું કહેવું છે કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચાર લોકો તેમને મળવા માટે ઍપોઈન્ટમેન્ટ લઈને આવ્યા હતા. તે સમયે તેમના સુરક્ષાકર્મીઓ પણ ત્યાં હાજર હતા.



કાર્યાલયમાં શિવસિંહને મળવા આવેલા લોકોમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણા (Shri Rajput Karni Sena and Karni Sena) પણ હતા. આ લોકોએ સુરક્ષા જવાનોને બહાર જવા કહ્યું. તે બાદ એક સુરક્ષાકર્મી બહાર ગયો. આ દરમિયાન તેમાંથી એક વ્યક્તિએ શેખાવત પર ગોળીબાર કર્યો હતો, પરંતુ નિશાન ચૂકી જતાં તેઓ બચી ગયા હતા. ગોળીબાર બાદ શિવસિંહના સિક્યોરિટી ગાર્ડે બંદૂકનાથી આરોપીના માથા પર માર માર્યો હતો. આ ઘટનામાં ગોળીબારના અવાજથી હોબાળો મચી ગયો હતો અને ત્યાં હાજર લોકોએ આરોપીને પકડી લીધો હતો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiv Singh Shekhawat (@shivsinghshekhawat_)


ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઍક્શન મોડમાં આવી ગયું છે. બંને સેનાના કાર્યકરોને માહિતી મળી તો તેઓ પણ ત્યાં પહોંચી ગયા. થોડી જ વારમાં ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ મામલે સાવચેતી રાખવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ભારે ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી હતી. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શેખાવતનું (Shri Rajput Karni Sena and Karni Sena) કહેવું છે કે તેમને છેલ્લા અનેક સમયથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ફાયરિંગ શા માટે કરવામાં આવી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યાં મુજબ, આ વિવાદ વર્ચસ્વની લડાઈને કારણે થઈ હોવાની શક્યતા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના બન્ને નેતાઓ શિવસિંહ અને મહિપાલ સિંહ મકરાણાને (Shri Rajput Karni Sena and Karni Sena) પોલસે સુરક્ષા આપી છે. કરણી સેનાના એક જૂથનું નેતૃત્વ કરનાર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ શેખાવત અને મકરાણાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. બન્ને સાથે બે-બે પોલીસકર્મીઓ તહેનાત રાખવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2024 11:00 AM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK