Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડિવાઇડર તોડીને સામેથી આવેલી લૉરી સ્લીપર બસના પ્રવાસીઓ માટે જીવલેણ બની ગઈ

ડિવાઇડર તોડીને સામેથી આવેલી લૉરી સ્લીપર બસના પ્રવાસીઓ માટે જીવલેણ બની ગઈ

Published : 26 December, 2025 10:37 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટક્કર થતાં જ બસમાં આગ લાગી, ૧૦ જણ જીવતા ભૂંજાયા, ૨૧ ઘાયલ

સ્લીપર બસ સાથે લૉરી અથડાઈ એ પછી બસમાં આગ લાગી ગઈ હતી.

સ્લીપર બસ સાથે લૉરી અથડાઈ એ પછી બસમાં આગ લાગી ગઈ હતી.


કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાતે એક સ્લીપર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૦ લોકો જીવતા ભૂંજાયા હતા અને ૨૧ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. નૅશનલ હાઇવે-૪૮ પર ‌હિરિયુર તાલુકાની હદમાં અકસ્માત થયો હતો. બસ બૅન્ગલોરથી ગોકર્ણ જઈ રહી હતી અને એમાં લગભગ ૩૧ પ્રવાસીઓ હતા. રાતે ૨.૩૦ વાગ્યે ફુલ સ્પીડમાં દોડતી લૉરી સામેની તરફથી ડિવાઇડર તોડીને આ પ્રાઇવેટ કંપનીની બસ સાથે ટકરાઈ હતી. ટકરાવ થતાંની સાથે જ બસમાં આગ લાગી ગઈ હતી. એ વખતે મુસાફરો સૂતા હતા એટલે અનેક લોકોને બચવાનો સમય નહોતો મળ્યો. ૧૦ મૃતદેહો સાવ બળી ગયા હોવાથી DNA ટેસ્ટથી જ તેમની ઓળખ થઈ શકશે.

બસ-ડ્રાઇવર અને ક્લીનરે બસમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો જ્યારે લૉરીના ડ્રાઇવર-ક્લીનરનું મૃત્યુ થયું હતું. ઘણા યાત્રીઓએ બસની બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ દર્શાવ્યું હતું અને જીવ ગુમાવનારા લોકોને બે-બે લાખ રૂપિયા તથા ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2025 10:37 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK