Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને ભારતે આપી ચેતવણી

સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને ભારતે આપી ચેતવણી

Published : 01 May, 2025 01:02 PM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમાં ભારતે પાકિસ્તાનને નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ સામે ચેતવણી આપી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ ચરમસીમાએ છે. એની વચ્ચે પાકિસ્તાન ભારતીય સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે એને લઈને ભારતના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે પાકિસ્તાનના અધિકારીઓ સાથે હૉટલાઇન પર વાત કરી હતી. એમાં ભારતે પાકિસ્તાનને નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ સામે ચેતવણી આપી છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાની સેનાની ચોકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખ્નૂર સેક્ટરમાં નિયંત્રણરેખા પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાનાં હથિયારથી ગોળીબાર કર્યો હતો. એ સિવાય તૂટમારી ગલી અને રામપુર સેક્ટર નજીક અને નિયંત્રણરેખા પર પણ ગોળીબાર કર્યો હતો જેનો અમે ઝડપથી અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 01:02 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK