પત્રકારોએ ગુવાહાટીમાં નરેનગી ખાતે થિયેટરમાં બજરંગ દળના ઍક્ટિવિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ-પ્રદર્શન વિશે સવાલો કર્યા હતા
હિમંતાએ પૂછ્યું, ‘શાહરુખ ખાન કોણ છે?’
ગુવાહાટી (પી.ટી.આઇ.) : ‘શાહરુખ ખાન કોણ છે? હું તેના કે તેની ફિલ્મ ‘પઠાન’ વિશે કંઈ પણ જાણતો નથી.’ ગઈ કાલે પત્રકારોએ સવાલ પૂછ્યો તો આસામના મુખ્ય પ્રધાન હિમંતા
બિસ્વસરમાએ આ જવાબ આપ્યો હતો.
પત્રકારોએ ગુવાહાટીમાં નરેનગી ખાતે થિયેટરમાં બજરંગ દળના ઍક્ટિવિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ-પ્રદર્શન વિશે સવાલો કર્યા હતા. આ થિયેટર ખાતે ‘પઠાન’ને રિલીઝ કરવામાં આવવાની છે. બજરંગ દળના ઍક્ટિવિસ્ટ્સે આ ફિલ્મનાં પોસ્ટર્સ ફાડી નાખ્યા હતા અને એને સળગાવ્યા હતા.
ADVERTISEMENT
હિમંતાએ વધુ કહ્યું હતું કે ‘બૉલીવુડમાંથી અનેક લોકો મને કૉલ કરતા હોય છે, પરંતુ ખાને આ પ્રૉબ્લેમ વિશે મને કૉલ કર્યો નથી, પરંતુ જો તેઓ મને કૉલ કરશે તો હું આ બાબતે જોઈશ. જો કાયદા-વ્યવસ્થાનો ભંગ થયો હશે તો પગલાં લેવામાં આવશે અને એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.’