Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં વરસાદ, પહાડોમાં બરફવર્ષા : બદલાતા હવામાનને કારણે ઉત્તર ભારતમાં જનજીવન પ્રભાવિત

દિલ્હીમાં વરસાદ, પહાડોમાં બરફવર્ષા : બદલાતા હવામાનને કારણે ઉત્તર ભારતમાં જનજીવન પ્રભાવિત

Published : 24 January, 2026 08:24 AM | Modified : 24 January, 2026 08:48 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે સ્નોફૉલને કારણે શ્રીનગરમાં ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું, જમ્મુ-શ્રીનગર હાઇવે પણ બંધઃ શિમલા અને મનાલી બન્યાં બરફાચ્છાદિત

બરફે કરી દીધા ચક્કા જામ : ગઈ કાલે મનાલીમાં ભારે સ્નોફૉલને કારણે બંધ પડી ગયેલી ગાડીને ધક્કો મારતા લોકો તથા અટકી પડેલો ટ્રાફિક

બરફે કરી દીધા ચક્કા જામ : ગઈ કાલે મનાલીમાં ભારે સ્નોફૉલને કારણે બંધ પડી ગયેલી ગાડીને ધક્કો મારતા લોકો તથા અટકી પડેલો ટ્રાફિક


ઉત્તર ભારતમાં હવામાનમાં ગઈ કાલે તીવ્ર ફેરફાર થયો હતો જેને કારણે એક તરફ રાજધાની દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો ત્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક પહાડી વિસ્તારોમાં તાજી હિમવર્ષાથી જનજીવન ખોરવાઈ ગયું હતું અને હવાઈ અને માર્ગ-પરિવહનને ભારે અસર પહોંચી હતી. ગઈ કાલે દિલ્હીમાં વરસાદ પડ્યો અને પહાડોમાં બરફવર્ષા થઈ એને કારણે ઉત્તર ભારતમાં જનજીવન પ્રભાવિત થયું હતું.



કેદારનાથ


રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વહેલી સવારે વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ વહેલી સવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી, જેમાં અનેક વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડાની ગતિવિધિ સાથે ટૂંકા પરંતુ તીવ્ર વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.

કાશ્મીરની ખીણમાં હિમવર્ષા


જમ્મુ અને કાશ્મીરમાં લોકપ્રિય સ્કીઇંગ ડેસ્ટિનેશન ગુલમર્ગ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી, જ્યારે શ્રીનગર અને આસપાસનાં મેદાનોમાં ભારે પવન ફૂંકાયો હતો. ગુરુવારે મોડી રાત્રે હિમવર્ષા શરૂ થઈ હતી, કારણ કે આ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ તીવ્ર બન્યું હતું. પ્રતિકૂળ હવામાનને કારણે ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. શ્રીનગર ઍરપોર્ટે પહેલાં ઘણી ફ્લાઇટ્સ રદ કરી હતી અને પછી દિવસભર માટે બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી, કારણ કે સતત બરફવર્ષાને કારણે રનવે પર બરફ જમા થયો હતો. મુસાફરોને સલાહ આપવામાં આવી હતી કે સામાન્ય કામગીરી પુનઃ સ્થાપિત કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે.

શિમલા

રેલવે-સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી, જ્યારે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે (NH-44) બરફને કારણે બંધ કરવામાં આવ્યો હતો. ઉધમપુરના જાખચોક સહિત અનેક સ્થળોએ વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી.

બનિહાલ રેલવે-સ્ટેશન, કાશ્મીર

હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલામાં તાજી બરફવર્ષાને કારણે આ શહેરો સફેદ પડથી ઢંકાઈ ગયાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2026 08:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK