Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ

આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ

Published : 14 August, 2022 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્તીસગઢના નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીએફના જવાનો રાષ્ટ્રીય ધ્વજ વહેંચી રહ્યા છે

આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ

આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ


નવી દિલ્હી ઃ છત્તીસગઢના નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત સીઆરપીએફના જવાનો અંતરિયાળ ગામોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આદિવાસીઓને તિરંગો વહેંચી રહ્યા છે. સીઆરપીએફના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે અમે એવાં અનેક ગામોમાં લોકોને રાષ્ટ્રીય ધ્વજ આપ્યા છે જ્યાં આઝાદી  મળ્યા બાદ અત્યાર સુધી નક્સલવાદીઓના ડર તેમ જ જુદાં-જુદાં કારણોસર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. 
સીઆરપીએફના જવાનો આ આદિવાસી ગામના લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા અને ઇન્ડિપેન્ડન્સ-ડેનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. આ પગલાથી સીઆરપીએફને સ્થાનિક લોકો સાથે સંબંધ સુધારવામાં પણ મદદ મળી રહી છે.
આ રાજ્યમાં નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા માટે સીઆરપીએફની ૩૮ બટૅલ્યનોને તહેનાત કરવામાં આવી છે. એક બટૅલ્યનમાં લગભગ ૧૦૦૦ જેટલા જવાન હોય છે. છત્તીસગઢમાં પોસ્ટેડ સીઆરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ સાકેતકુમાર સિંહે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં દંતેવાડા, બીજાપુર, બસ્તર અને સુકમા જિલ્લાઓનાં ગામડાંઓમાં સીઆરપીએફના જવાનોએ લગભગ એક લાખ રાષ્ટ્રીય ધ્વજ લોકોમાં વહેંચ્યા છે. આ અભિયાનનો હેતુ અંતરિયાળ વિસ્તારોનાં ગામોના આદિવાસીઓને ઇન્ડિપેન્ડન્સ-ડેના સેલિબ્રેશનમાં સામેલ કરવાનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2022 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK