Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાના રામમંદિરમાં થઈ ૧૬૧ ફુટ ઊંચા શિખર પર કળશસ્થાપના

અયોધ્યાના રામમંદિરમાં થઈ ૧૬૧ ફુટ ઊંચા શિખર પર કળશસ્થાપના

Published : 15 April, 2025 08:32 AM | Modified : 16 April, 2025 07:31 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છ દેવી-દેવતાનાં મંદિરોમાં પણ કળશસ્થાપના થશે અને ત્યાર બાદ દરેક મંદિરમાં ધર્મ ધ્વજ દંડ સ્થાપિત કરવામાં આવશે. ધાતુમાંથી બનેલા ધર્મ ધ્વજ દંડ મંદિરમાં આવી ચૂક્યા છે.

અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના મુખ્ય શિખરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે

અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના મુખ્ય શિખરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે


અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના મુખ્ય શિખરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે અને ગઈ કાલે સવારે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહના મુખ્ય શિખર પર નારિયેળ આકારનો ૩૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગુલાબી પથ્થરથી બનેલા આ કળશને ક્રેનની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. કળશપૂજાની વિધિ સવારે ૯.૧૫ વાગ્યે શરૂ થઈ હતી અને કળશ નીચે નવરત્નોને પણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં હતાં. ૧૦.૩૦ વાગ્યા સુધીમાં આ વિધિ પૂર્ણ થઈ હતી. હવે છ દેવી-દેવતાનાં મંદિરોમાં પણ કળશસ્થાપના થશે અને ત્યાર બાદ દરેક મંદિરમાં ધર્મ ધ્વજ દંડ સ્થાપિત કરવામાં આવશે. ધાતુમાંથી બનેલા ધર્મ ધ્વજ દંડ મંદિરમાં આવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2025 07:31 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK