Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારનો ઍરલાઇન્સને આદેશ : પ્રયાગરાજ માટેની ફ્લાઇટના દરમાં ૫૦ ટકા ઘટાડો કરો

સરકારનો ઍરલાઇન્સને આદેશ : પ્રયાગરાજ માટેની ફ્લાઇટના દરમાં ૫૦ ટકા ઘટાડો કરો

Published : 03 February, 2025 10:37 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજ માટે વિમાનોની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિવિધ ઍરલાઇન્સને આ ટિકિટોના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજ માટે વિમાનોની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિવિધ ઍરલાઇન્સને આ ટિકિટોના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંદર્ભમાં સિવિલ એવિયેશન મિનિસ્ટર કે. રામ મોહન નાયડુએ કહ્યું હતું કે નવા દરો પહેલી ફેબ્રુઆરીથી અમલી બની ગયા છે.

સરકારે વિવિધ ઍરલાઇન્સ સાથે આ મુદ્દે ત્રણ બેઠકો યોજી હતી અને વિમાનની ટિકિટના દરમાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભના પગલે ટિકિટના દરમાં આડેધડ વધારો કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી-પ્રયાગરાજ ટિકિટના ભાવમાં ૨૧ ગણો ઉછાળો જોવા મળ્યો હતો. સરકારે મહાકુંભના પગલે વધારાની ૮૧ ફ્લાઇટ્સની મંજૂરી આપી હતી. હવે આ શહેર માટે ૧૩૨ ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2025 10:37 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK