G-20માં સામેલ થવા ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનકનું અભિવાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ જય સિયારામ બોલીને કર્યું છે. આના જવાબમાં ઋષિ સુનકે પણ જય સિયારામ કહ્યું. તેમનાં પત્ની પણ સાથે આવ્યાં છે.
ફાઈલ તસવીર
G-20માં સામેલ થવા ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનકનું અભિવાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ જય સિયારામ બોલીને કર્યું છે. આના જવાબમાં ઋષિ સુનકે પણ જય સિયારામ કહ્યું. તેમનાં પત્ની પણ સાથે આવ્યાં છે.
બ્રિટનના પીએમ ઋષિ સુનક G-20 સમિટમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. તે શુક્રવારે બપોરે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પહોંચ્યા તો તેમની આગેવાની કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કરી. એટલું જ નહીં ભારતીય મૂળના ઋષિ સુનકનો અભિવાદન પણ તેમણે જય સિયારામ બોલીને કર્યું છે. તેના જવાબમાં ઋષિ સુનકે પણ જય સિયારામ કહ્યું. જણાવવાનું કે જય સિયારામ ભારતમાં અભિવાદન તરીકે બોલવામાં આવે છે. ઋષિ સુનકના સ્વાગતમાં ઍરપૉર્ટ પર જ પારંપરિક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
ઋષિ સુનક સાથે તેમની પત્ની અક્ષતા મૂર્તિ પણ સાથે આવી છે. તે પણ આ દરમિયાન ખૂબ જ ખાસ ડ્રેસ અને ભારતીય અંદાજમાં જોવા મળી. તેમણે શાનદાર લાંબુ સ્કર્ટ અને વ્હાઈટ કલરનું શર્ટ પહેર્યું હતું. ઋષિ સુનક અને તેમના પરિવારનો ભારત સાથે ઊંડો નાતો રહ્યો છે. ઋષિ સુનક બીજી પેઢીના ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે. તો તેમની પત્ની અક્ષતા મૂર્તિ પણ ભારતીય મૂળની જ છે. તેમના પિતા ભારતના દિગ્ગજ વેપારી અને આઈટી કંપની ઈન્ફોસિસના માલિક નારાયણમૂર્તિ છે.
બ્રિટિશ પીએમ અભિવાદનમાં જય સિયારામ બોલવું આ માટે પણ ખાસ છે કારણકે તાજેતરના દિવસોમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. આમાં તે મોરારી બાપુની કથામાં જયઘોષ કરતાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે બાપૂ હું તમારી કથામાં બ્રિટિશ પીએમ તરીકે નહીં પણ એક હિંદુના નાતે આવ્યો છું. તેમણે કહ્યું હતું કે મારે માટે હિંદૂ ધર્મમાં આસ્થા અને આધ્યાત્મિકતા ખાનગી વિષય છે અને આથી મને બહેતર કામ કરવાની પ્રેરણા મળી છે. નોંધનીય છે કે આજે જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પણ આવવાના છે અને તેમના પીએમ મોદી સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત પહોંચી ગયા છે. તેમની સુરક્ષા માટે ખાસ ઇંતેજામ કરવામાં આવ્યા છે. તો અહીં જાણો તેમના હોટેલથી 10 મિનિટના અંતરે હૉસ્પિટલ કેમ હોય છે?
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેન જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારતના પ્રવાસે આવી ચૂક્યા છે. તેમની સુરક્ષા માટે સીક્રેટ સર્વિસના એજન્ટ્સથી લઈને એસપીજીના કમાન્ડો તૈનાત રહેશે. તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું ખાસ ખ્યાલ રાખવામાં આવશે. તે જ્યાં રોકાશે ત્યાંથી 10 મિનિટના અંતરે જ એક હૉસ્પિટલનું ઇંતેજામ કરવામાં આવ્યું છે. આવું કેમ હોય છે કે જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિ રોકાય છે ત્યાંથી નજીકમાં જ એક હૉસ્પિટલનું હોવું કેમ જરૂરી છે? અહીં જાણો આની પાછળનું કારણ...
10 મિનિટના અંતરે હૉસ્પિટલનો શું છે પ્રોટોકૉલ
પ્રેસિડેન્ટના રોકાણની જગ્યાથી 10 મિનિટના અંતરે હૉસ્પિટલ આપાત સ્થિતિ માટે હોય છે. જ્યાં તે રોકાય છે ત્યાંથી નજીકની હૉસ્પિટલમાં એજન્ટ્સ પણ હોય છે જેથી કોઈપણ ઈમરજન્સી સિચ્યુએશનમાં ડૉક્ટર સાથે વાતચીત કરીને ટ્રીટમેન્ટ આપી શકાય. તેમના બ્લડગ્રુપનું લોહી પણ સાથે રાખવામાં આવે છે. જણાવવાનું કે આઈટીસી મૌર્યા હોટેલમાં રોકાઈ રહ્યા છે. આ હોટેલમાં 400 રૂમ બૂક કરી લેવામાં આવ્યા છે. જેથી તેમની સુરક્ષામાં કોઈપણ ચૂક ન થઈ શકે. રાષ્ટ્રપતિ 14મા માળે રહેશે.
ત્રણ લેયરમાં હોય છે પ્રેસિડેન્ટની સિક્યોરિટી
રાષ્ટ્રપતિ જો બાઈડેનના ત્રણ સિક્યોરિટી લેયર્સ છે. સૌથી પહેલું લેયર જે તેમની પાસે હોય છે, તે રાષ્ટ્રપતિના પ્રોટેક્ટિવ ડિવિઝન એજન્ટ હોય છે, પછી વચ્ચેના લેયરમાં સીક્રેટ સર્વિસ એજન્ટ્સ અને ત્યાર બાદ પોલીસ ફોર્સ હોય છે. ભારતમાં તેમની સુરક્ષા માટે SPGના કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ દિલ્હી પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા મેઈન્ટેન કરતી જોવા મળી. તેમના કાફલામાં આવનારા માર્ગોમાં સામાન્ય જનતા માટે બૅન કરી દેવામાં આવ્યા છે. જણાવવાનું કે, જ્યારે પણ રાષ્ટ્રપતિ કોઈ વિદેશી પ્રવાસ પર હોય છે. તેમની સીક્રેટ સર્વિસના એજન્ટ તેમના પ્રવાસથી ત્રણ મહિના પહેલાથી ત્યાં જઈને સુરક્ષાની તપાસ કરવા માંડે છે. દિલ્હીમાં 9-10 તારીખે જી-20 શિખર સમ્મેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ થવા માટે અનેક દેશના મહેમાન ભારત આવી રહ્યા છે.


