Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરવ્યુ આપવા ન આવ્યા છતાં કેવી રીતે બની ગયા CEO?

ઇન્ટરવ્યુ આપવા ન આવ્યા છતાં કેવી રીતે બની ગયા CEO?

Published : 16 September, 2026 11:43 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની પસંદગી સામે ભૂતપૂર્વ IPS ઑફિસર રાજેશ પાંડેએ નારાજગી વ્યક્ત કરી

ભૂતપૂર્વ IPS ઑફિસર રાજેશ પાંડે

ભૂતપૂર્વ IPS ઑફિસર રાજેશ પાંડે


રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વહીવટી વ્યવસ્થા માટે ભૂતપૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમણે પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. જોકે આ નિમણૂક સામે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ભૂતપૂર્વ અધિકારી રાજેશ પાંડેએ સવાલો ઉઠાવ્યા છે.

એક ઇન્ટરવ્યુમાં રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે ‘CEOના પદ માટે દેશભરમાંથી આવેલી ૫૫૮૫ અરજીઓમાંથી માત્ર ૧૬ ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ૧૬ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા, પરંતુ ભૂતપૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ એ ઇન્ટરવ્યુ આપ્યો જ નહોતો. આમ છતાં તેમને આ પદ પર કેવી રીતે પસંદ કરવામાં આવ્યા એ એક મોટું રહસ્ય છે.’ 
શૉર્ટલિસ્ટ થયેલા ૧૬ ઉમેદવારોમાં રાજેશ પાંડે અને ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના ભૂતપૂર્વ અધિકારી યોગેશ્વર મિશ્રાનાં નામ મોખરે હતાં અને રાજેશ પાંડેની પસંદગી લગભગ નક્કી જ મનાતી હતી. રાજેશ પાંડેએ દાવો કર્યો હતો કે તેઓ CEO બનવાના જ હતા, પરંતુ અચાનક શું થયું એ માત્ર ટ્રસ્ટના લોકો જ જણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે જિતેન્દ્ર મિશ્રા એકમાત્ર એવા એન્જિનિયર હતા જેમણે રામ મંદિરના નિર્માણ દરમ્યાન રજા લઈને ત્યાં સેવા આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 11:43 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK