Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧થી ૫૦ સુધી લખતાં ન આવડ્યું એટલે પપ્પાએ ચાર વર્ષની દીકરીનો મારી-મારીને જીવ લઈ લીધો

૧થી ૫૦ સુધી લખતાં ન આવડ્યું એટલે પપ્પાએ ચાર વર્ષની દીકરીનો મારી-મારીને જીવ લઈ લીધો

Published : 25 January, 2026 12:18 PM | IST | faridabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વંશિકાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પિતા સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી પિતા કૃષ્ણ જાયસવાલ.

આરોપી પિતા કૃષ્ણ જાયસવાલ.


૪ વર્ષની વંશિકા જાયસવાલ નામની બાળકીને ૧થી ૫૦ સુધી બરાબર લખવાનું ન આવડતાં તેને ૩૧ વર્ષના પિતા કૃષ્ણ જાયસવાલે માર માર્યો હતો જેમાં આ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. પિતાએ તેને વારંવાર વેલણથી માર માર્યો હતો અને તેને જમીન પર પછાડી હતી. કૃષ્ણ જાયસવાલની પત્નીએ પોલીસ-ફરિયાદ નોંધાવ્યા બાદ તેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
જાયસવાલ પરિવાર ઉત્તર પ્રદેશના સોનભદ્રથી સ્થળાંતર કરીને ફરીદાબાદમાં રહેવા આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. આ ઘટના બુધવારે તેમના ઘરમાં બની હતી.

આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે વંશિકાને માર માર્યા પછી જાયસવાલ તેને હૉસ્પિટલમાં લઈ ગયો અને પોતાની ભૂલ છુપાવવા તેણે તેની પત્ની રંજીતાને કહ્યું હતું કે વંશિકા રમતી વખતે સીડી પરથી નીચે પડી ગઈ હતી. તેમનો ૭ વર્ષનો પુત્ર ઘટના સમયે ઘરે હતો. તેણે પાછળથી તેની મમ્મીને તેની બહેનને માર મારવામાં આવ્યો હોવાની વાત જણાવી હતી. રંજીતાએ વંશિકાના શરીર પર ઈજાનાં નિશાન જોયા બાદ પોલીસને જાણ કરી હતી. વંશિકાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પિતા સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2026 12:18 PM IST | faridabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK