ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીપંચને વાયનાડની પેટાચૂંટણી યોજવાની કોઈ ઉતાવળ નથી

ચૂંટણીપંચને વાયનાડની પેટાચૂંટણી યોજવાની કોઈ ઉતાવળ નથી

30 March, 2023 02:18 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાયનાડ સંસદીય બેઠક આ વર્ષે ૨૩મી માર્ચે ખાલી જાહેર કરાઈ હતી

રાહુલ ગાંધી ફાઇલ તસવીર

રાહુલ ગાંધી ફાઇલ તસવીર

ચૂંટણીપંચે ગઈ કાલે જણાવ્યું હતું કે બદનક્ષીના કેસમાં ટ્રાયલ કોર્ટે અપીલ ફાઇલ કરવા માટે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપ્યો હોવાને કારણે વાયનાડની લોકસભાની બેઠક પર પેટાચૂંટણી યોજવાની કોઈ ઉતાવળ નથી. આ કેસમાં રાહુલને બે વર્ષની જેલની સજાને પગલે તેમને સંસદસભ્ય તરીકે ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા હોવાને કારણે કેરલામાં વાયનાડની બેઠક ખાલી પડી હતી. 

પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ‘કોઈ ઉતાવળ નથી, અમે રાહ જોઈશું. સુરતની ટ્રાયલ કોર્ટે ઉપલી અદાલતમાં અરજી કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. વાયનાડ સંસદીય બેઠક આ વર્ષે ૨૩મી માર્ચે ખાલી જાહેર કરાઈ હતી અને કાયદા અનુસાર છ મહિનામાં પેટાચૂંટણી યોજાઈ જવી જોઈએ.’


30 March, 2023 02:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK