Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીપંચનો મોટો નિર્ણય : બિહારની જેમ હવે દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

ચૂંટણીપંચનો મોટો નિર્ણય : બિહારની જેમ હવે દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

Published : 26 July, 2025 11:47 AM | Modified : 27 July, 2025 06:55 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૯૯ ટકા મતદારોને આ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાફ્ટ મતદારયાદી તૈયાર કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે તેમના બૅનર પર લોકતંત્રને બદલે લોકતંત્ર લખાયું હતું એ ભૂલ ગઈ કાલે સુધારી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે તેમના બૅનર પર લોકતંત્રને બદલે લોકતંત્ર લખાયું હતું એ ભૂલ ગઈ કાલે સુધારી લેવામાં આવી હતી.


ચૂંટણીપંચે મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મોટો નિર્ણય લેતાં ૨૪ જૂનના એક આદેશમાં જણાવ્યું છે કે બિહારની જેમ હવે દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી એ મતદારયાદીઓની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની એની બંધારણીય જવાબદારી નિભાવી શકે.

બિહારમાં SIR પ્રક્રિયા એના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૯૯ ટકા મતદારોને આ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાફ્ટ મતદારયાદી તૈયાર કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.



ચૂંટણી પંચની સૂચના મુજબ કોઈ પણ મતદાર અથવા રાજકીય પક્ષ પહેલી સપ્ટેમ્બર સુધી મતદારયાદીમાંથી નામ દૂર કરવા અથવા ખોટું નામ ઉમેરવા પર દાવો અથવા વાંધો નોંધાવી શકે છે.


સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષોએ ગઈ કાલે પણ બિહારમાં મતદારપત્રકોના ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનનો વિરોધ કર્યો હતો.

રાબેતા મુજબ સંસદ ઠપ


બિહારમાં મતદારયાદીની ચકાસણીના મુદ્દે વિરોધ પક્ષોએ સંસદમાં સતત પાંચમા દિવસે પણ હોબાળો મચાવ્યો હતો. પરિણામે સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. દિવસ દરમ્યાન સંસદની કાર્યવાહી ફરી શરૂ કરવાના પ્રયાસ નિષ્ફળ જતાં સોમવાર સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ પક્ષો સાથે બેઠક કરીને એવું આશ્વાસન આપ્યું છે કે સોમવારથી સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલશે.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2025 06:55 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK