Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીનાં જળપ્રધાન આતિશીની તબિયત લથડીઃ ભૂખહડતાળ પૂરી કરીને હૉસ્પિટલમાં દાખલ થયાં

દિલ્હીનાં જળપ્રધાન આતિશીની તબિયત લથડીઃ ભૂખહડતાળ પૂરી કરીને હૉસ્પિટલમાં દાખલ થયાં

Published : 26 June, 2024 07:49 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આતિશીની તબિયત બગડતાં તેણે ભૂખહડતાળ ખતમ કરી હતી

આતિશી સિંહ

આતિશી સિંહ


પાણીની તંગી ભોગવી રહેલા દિલ્હીને હરિયાણામાંથી યમુના નદીમાંથી વધારાનો પાણીપુરવઠો મળી રહે એ માટે બેમુદત ભૂખહડતાળ પર ઊતરી ગયેલાં દિલ્હીનાં જળપ્રધાન આતિશી સિંહની ગઈ કાલે તબિયત બગડી જતાં તેમને લોકનાયક જયપ્રકાશ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યાં છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય સંજય સિંહે કહ્યું હતું કે ‘આતિશીની તબિયત બગડતાં તેણે ભૂખહડતાળ ખતમ કરી હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હવે અમે હરિયાણામાંથી યમુના નદીમાંથી યોગ્ય પાણીપુરવઠો મળી રહે એ માટે વડા પ્રધાનને પત્ર લખીશું. સંસદમાં પણ અમે આ મુદ્દો ઉપાડીશું.’ દિલ્હીમાં પાણીની સમસ્યાના મુદ્દે આતિશી ૨૧ જૂનથી ભૂખહડતાળ પર ઊતર્યાં હતાં અને ગઈ કાલે મધરાતે તેમનું બ્લડશુગર લેવલ નીચે આવી જતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2024 07:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK