Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જૈસી કરની વૈસી ભરની : અણ્ણા હઝારે

જૈસી કરની વૈસી ભરની : અણ્ણા હઝારે

Published : 09 February, 2025 11:13 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન આંદોલનનો ચહેરો રહેલા સામાજિક કાર્યકરનું કહેવું છે કે સત્તા અને પૈસાની મસ્તી અરવિંદની આંખોમાં ઘૂસી ગઈ હતી

અણ્ણા હઝારે

અણ્ણા હઝારે


જેમના ચહેરાનો ફાયદો લઈને ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ આંદોલન સફળ બનાવવામાં આવ્યું હતું એ અણ્ણા હઝારેએ તેમના એક સમયના ચેલા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (AAP)ની હાર પર કહ્યું હતું કે ‘અરવિંદે શરૂઆતમાં સારું કામ કર્યું હતું, પણ સત્તા અને પૈસાની મસ્તી તેની આંખોમાં ઘૂસી ગઈ હતી. મોટા પ્રમાણમાં દારૂનાં લાઇસન્સ આપ્યાં હોવાથી આમ આદમીએ તેનો સાથ છોડી દીધો હોવાનું લાગે છે. આજે આપણને જે પરિણામ જોવા મળી રહ્યું છે એ દારૂની દુકાનોને આપેલાં લાઇસન્સ અને એમાંથી મળેલા પૈસાનું પરિણામ છે. તેણે આ નિર્ણય લીધો ત્યારે મેં પત્ર પણ લખ્યો હતો, પણ એનો કોઈ જવાબ નહોતો મળ્યો. આને કહેવાય જૈસી કરની વૈસી ભરની.’

અણ્ણા હઝારે ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ આંદોલન વખતે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ તેમણે પૉલિટિકલ પાર્ટી શરૂ કરતાં તેઓ બાજુએ ખસી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 11:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK