૧૨ કામદારોનાં મોત, ૩૦ શ્રમિકો દાઝ્યા, ૧૨ જણ ૮૦ ટકાથી વધુ દાઝેલી હાલતમાં
ઘટનાસ્થળ
છત્તીસગઢના સક્તી જિલ્લામાં વેદાન્તા પાવરપ્લાન્ટમાં ગઈ કાલે બપોરે અચાનક બૉઇલર બ્લાસ્ટ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૨ કામદારોનાં મૃત્યુ થયાં હતાં. ધમાકો એટલો જોરદાર હતો કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ૩ મજૂરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ૧૮ ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બીજા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ૧૨ શ્રમિકો અત્યંત ગંભીર હાલતમાં છે કેમ કે તેમનું શરીર લગભગ ૮૦ ટકા દાઝી ગયું છે. અન્ય ૩૦ શ્રમિકો પણ દાઝ્યા છે.
પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારજનોએ પ્રદર્શન કરીને ઘાયલોને મદદ કરવાની માગણી કરી હતી. પ્રાઇવેટ કંપનીએ મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એવી માગણી સ્થાનિક વિધાનસભ્ય અને કૉન્ગ્રેસના નેતાઓએ કરી હતી.
