ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને મુંબઈ પોર્ટ પર રોક્યું છે. ભારતનો દાવો છે કે આ જહાજમાં પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત માલસામાન છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી પાકિસ્તાન (China-Pakistan Ship) જઈ રહેલા એક જહાજને મુંબઈ પોર્ટ (Mumbai Port) પર રોક્યું છે. ભારતનો દાવો છે કે આ જહાજમાં પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત માલસામાન છે. જહાજને રોકવા પર પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને કહ્યું કે, આ જહાજમાં મિસાઈલ સંબંધિત કોઈ સામગ્રી નથી.



