વ્યથિત ચંદ્રાબાબુએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી મારી સામેના અપમાનજનક આક્ષેપો હું સહન કરતો આવ્યો છું, પણ આજે તેઓએ મારી પત્ની પર આક્ષેપો કર્યા, એટલું જ નહીં મને સામે જવાબ આપવાની તક સુધ્ધાં ન આપવામાં આવી.
ચંદ્રાબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં લાઇવ ટીવી પર રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશાં ગૌરવથી જીવ્યા છે અને એ ગૌરવ માટે હવે વધુ સહન નહીં કરે.
આજે વિધાનસભામાં ખેતીક્ષેત્રની ચર્ચા દરમ્યાન તેમની પત્ની પર લાગેલા અપમાનજનક આક્ષેપોનો જવાબ વાળવાની તક ન અપાતાં ચંદ્રાબાબુ નાયડુ વ્યથિત થઈને વિધાનસભામાંથી વૉકઆઉટ કરી ગયા હતા. તેમની સાથે ટીપીપીના ધારાસભ્યો પણ બહાર આવ્યા હતા અને તેમને મનાવવા લાગ્યા હતા. વ્યથિત ચંદ્રાબાબુએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી મારી સામેના અપમાનજનક આક્ષેપો હું સહન કરતો આવ્યો છું, પણ આજે તેઓએ મારી પત્ની પર આક્ષેપો કર્યા, એટલું જ નહીં મને સામે જવાબ આપવાની તક સુધ્ધાં ન આપવામાં આવી. ચંદ્રાબાબુ વિધાનસભામાં જવાબ આપવા માટે બોલવા લાગ્યા ત્યારે સ્પીકરે તેમનું માઇક બંધ કરી દીધું હતું.