Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશના હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને આખરે હાઈ કોર્ટે આપ્યા જામીન, હવે સુપ્રીમ કોર્ટ પર નજર

બંગલાદેશના હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને આખરે હાઈ કોર્ટે આપ્યા જામીન, હવે સુપ્રીમ કોર્ટ પર નજર

Published : 01 May, 2025 02:29 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રઝાની બેન્ચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો હતો.

હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ

હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ


બંગલાદેશની હાઈ કોર્ટે ગઈ કાલે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે, તેઓ દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. હવે સુપ્રીમ કોર્ટ પર સૌની નજર છે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે. વાસ્તવમાં ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રઝાની બેન્ચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો હતો.

બંગલાદેશના ચટગાંવમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં ‘સનાતન જાગરણ મંચ’ નામની રૅલી યોજાઈ હતી જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. એ જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને એમાં લખ્યું હતું કે ‘આમી સનાતની’. થોડા દિવસો બાદ બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના નેતા ફિરોઝ ખાને આરોપ લગાવ્યો હતો કે આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યાર બાદ ચિન્મય દાસ સહિત ૧૯ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 02:29 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK