Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં હનુમાનગઢીથી રામલલા મંદિર સુધી બનશે ૨૯૦ મીટરનો બજરંગ પથ

અયોધ્યામાં હનુમાનગઢીથી રામલલા મંદિર સુધી બનશે ૨૯૦ મીટરનો બજરંગ પથ

Published : 16 May, 2025 08:12 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ, પંચકોસી અને ચૌદકોસી પરિક્રમા માર્ગ જેવા ધાર્મિક માર્ગોને નવેસરથી વિકસિત કરવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


અયોધ્યામાં હનુમાનગઢી મંદિરથી રામલલા મંદિર સુધી ૨૯૦ મીટરનો બજરંગ પથ કૉરિડોર બનાવવામાં આવશે. આના કારણે અયોધ્યા આવનારા ભાવિકોને ઘણી સુવિધા ઉપલબ્ધ થશે. બજરંગ પથનો આરંભ હનુમાનગઢી મંદિરની એક્ઝિટથી શરૂ થશે અને એ સીધો રામલલાના જન્મભૂમિ દર્શન પથ સાથે જોડાશે. આ પથ બનવાથી ભક્તિ પથ અને જન્મભૂમિ પથ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે. આ પથ પર પથ્થરનો પાકો રોડ, બેસવા માટે વિશ્રામસ્થળ, લાઇટિંગ, સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા થશે. યોગી સરકાર રામનગરીને વિશ્વસ્તરીય ધાર્મિક નગરીના રૂપમાં પ્રસ્તુત કરવાના સંકલ્પ પર કામ કરી રહી છે. રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ, પંચકોસી અને ચૌદકોસી પરિક્રમા માર્ગ જેવા ધાર્મિક માર્ગોને નવેસરથી વિકસિત કરવામાં આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2025 08:12 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK