અયોધ્યા રામ મંદિર ખાતે ધામધુમથી પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ઉજવાયો. આ દરમિયાન જયપુરના શાહી પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે.
વંશાવલી, પદ્મનાભ સિંહ અને અયોધ્યાનો નકશો (તસવીર: ઈન્સ્ટાગ્રામ)
22 જાન્યુઆરીએ અયોધ્યામાં હર્ષ, ઉલ્લાસ અને આનંદ સાથે ધામધુમથી ભવ્ય રીતે રામ મંદિરમાં રામજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. બૉલિવૂડની દિગગ્જ હસ્તીઓ અને દેશના નામી મહાનુભુવાઓ આ સમારોહમાં જોડાયા.વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કરી શ્રીરામની મૂર્તિનું અનાવરણ કર્યુ. પીએમ મોદીના કહેવા પ્રમાણે દેશના તમામ ભક્તોએ ઘરે ઘરે દીવા તો પ્રગટાવ્યાં જ સાથે સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને આ અવસરને દિવાળી જેવા માહોલમાં પરિવર્તિત કર્યો. આની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યાં છે જે જાણીને તમને નવાઈ પામશો. રાજસ્થાનના રોયલ પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે.



