રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી લોકોને હાલપૂરતી રાહત મળવાની શક્યતા નહીંવત્: લાખો લોકોનું જનજીવન થયું પ્રભાવિત
જળબંબાકાર
છેલ્લા પાંચેક દિવસથી વરસાદ અને બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવવાને લીધે આસામના ૨૯ જિલ્લા બેટમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે હવે રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી હાલપૂરતી લોકોને કોઈ રાહત મળવાની શક્યતા દેખાઈ નથી રહી. રાજ્ય સરકાર તરફથી સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની સાથે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ અને આર્મી બચાવ અને રાહતકામમાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
29- રાજ્યના આટલા જિલ્લામાં પૂરે હાહાકાર મચાવ્યો છે
11- આટલી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
2800- આટલાં ગામોમાં નદીઓનું પાણી ફરી વળ્યું છે.
46- પૂરને લીધે અત્યાર સુધી આટલા લોકોનાં મૃત્યુ થયાં છે.
922- રાજ્યના આટલા રોડ તૂટી ગયા છે.
52- આટલા બ્રિજને નુકસાન પહોંચ્યું છે.
500 - રાજ્યમાં આટલા રિલીફ કૅમ્પ ચાલી રહ્યા છે.
42,476- આટલા હેક્ટર જમીન પર ખેતીને નુકસાન પહોંચ્યું છે.
11 - કાઝીરંગા નૅશનલ પાર્કમાં ડૂબી જવાને લીધે આટલાં પ્રાણીઓનાં થયાં મોત.

