Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામમાં પૂરને લીધે આવેલી આફત હવે વધે નહીં તો સારું

આસામમાં પૂરને લીધે આવેલી આફત હવે વધે નહીં તો સારું

Published : 05 July, 2024 11:36 AM | Modified : 05 July, 2024 12:02 PM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી લોકોને હાલપૂરતી રાહત મળવાની શક્યતા નહીંવત્: લાખો લોકોનું જનજીવન થયું પ્રભાવિત

જળબંબાકાર

જળબંબાકાર


છેલ્લા પાંચેક દિવસથી વરસાદ અને બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવવાને લીધે આસામના ૨૯ જિલ્લા બેટમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે હવે રાજ્યની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી હાલપૂરતી લોકોને કોઈ રાહત મળવાની શક્યતા દેખાઈ નથી રહી. રાજ્ય સરકાર તરફથી સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની સાથે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ અને આર્મી બચાવ અને રાહતકામમાં લાગી ગઈ છે.




29- રાજ્યના આટલા જિલ્લામાં પૂરે હાહાકાર મચાવ્યો છે


11- આટલી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

2800- આટલાં ગામોમાં નદીઓનું પાણી ફરી વળ્યું છે.


46- પૂરને લીધે અત્યાર સુધી આટલા લોકોનાં મૃત્યુ થયાં છે.

922- રાજ્યના આટલા રોડ તૂટી ગયા છે.

52- આટલા બ્રિજને નુકસાન પહોંચ્યું છે.

500 - રાજ્યમાં આટલા રિલીફ કૅમ્પ ચાલી રહ્યા છે.

42,476- આટલા હેક્ટર જમીન પર ખેતીને નુકસાન પહોંચ્યું છે.

11 - કાઝીરંગા નૅશનલ પાર્કમાં ડૂબી જવાને લીધે આટલાં પ્રાણીઓનાં થયાં મોત.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 12:02 PM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK