Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહની જાહેરાત : તામિલનાડુમાં BJP અને AIADMKનું ગઠબંધન

અમિત શાહની જાહેરાત : તામિલનાડુમાં BJP અને AIADMKનું ગઠબંધન

Published : 12 April, 2025 01:44 PM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન મોદી અને તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાએ સાથે મળીને અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય રાજકારણમાં કામ કર્યું છે.

ગઈ કાલે ચેન્નઈમાં AIADMKના જનરલ સેક્રેટરી પલાનીસ્વામી અને તામિલનાડુના BJPના નેતા કે. અન્નામલાઈ સાથે મીડિયાને સંબોધતા અમિત શાહ.

ગઈ કાલે ચેન્નઈમાં AIADMKના જનરલ સેક્રેટરી પલાનીસ્વામી અને તામિલનાડુના BJPના નેતા કે. અન્નામલાઈ સાથે મીડિયાને સંબોધતા અમિત શાહ.


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે તામિલનાડુની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમ્યાન અમિત શાહે ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)ના નેતા પલાનીસ્વામી અને BJPના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે આગામી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં AIADMK અને BJPના ગઠબંધનની જાહેરાત કરી હતી.


અમિત શાહે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘BJP અને AIADMK વચ્ચે ગઠબંધનમાં રાષ્ટ્રીય સ્તર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. વળી તામિલનાડુમાં AIADMKના નેતાના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. વડા પ્રધાન મોદી અને તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાએ સાથે મળીને અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય રાજકારણમાં કામ કર્યું છે.’



અમે દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) માટે કોઈ મૂંઝવણ નથી રાખવા ઇચ્છતા તેથી જાહેરાત કરીએ છીએ કે અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે ચૂંટણી થશે એમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) ફરી પ્રચંડ બહુમત હાંસલ કરશે અને તામિલનાડુમાં એક વાર ફરી NDAની સરકાર બનશે.’


DMK કર્યાં અનેક કૌભાંડ : અમિત શાહ

તામિલનાડુની અંદર DMK પાર્ટી સનાતન ધર્મ, થ્રી લૅન્ગ્વેજ પૉલિસી અને અનેક મુદ્દા ઉઠાવી રહી છે જેનો ઉદ્દેશ મુખ્ય મુદ્દાથી ભટકાવવાનો છે એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘આવનારી ચૂંટણીમાં DMK સરકારના ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દા પર તામિલનાડુની જનતા મત આપશે. DMK સરકારે ૩૯,૦૦૦ કરોડનું દારૂ કૌભાંડ, લૅન્ડ માઇનિંગ સ્કૅમ, એનર્જી સ્કૅમ, ફ્રી ધોતી સ્કૅમ, ટ્રાન્સપોર્ટ સ્કૅમ જેવાં અનેક કૌભાંડ કર્યાં છે જેનો જવાબ જનતા આપશે. તામિલનાડુની જનતા અસલી મુદ્દા જાણે છે અને અમે આ મુદ્દાને જનતાની વચ્ચે લઈ જઈશું. હું માનું છું કે તામિલનાડુની જનતા DMK પાસેથી જવાબ ઇચ્છે છે. આ ગઠબંધન પર્મનન્ટ રહેવાનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 01:44 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK