Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં અનેક ઘરોમાં તિરાડ પડી, લોકોમાં ભય ફેલાયો

હવે ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં અનેક ઘરોમાં તિરાડ પડી, લોકોમાં ભય ફેલાયો

11 January, 2023 10:50 AM IST | Chamoli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણપ્રયાગના ઉપર બઝાર વૉર્ડના ૩૦ પરિવારો પણ એવી જ ભયાનક સ્થિતિમાં મુકાયા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ચમોલીઃ જમીનમાં ધસી રહેલા જોશીમઠ પર સૌની નજર છે ત્યારે ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં પણ એવી જ સમસ્યા સર્જાઈ છે. કર્ણપ્રયાગના બહુગુણાનગરમાં લગભગ ૫૦ મકાનોમાં તિરાડ પડી છે અને જુદી-જુદી જગ્યાએ ભેખડો પણ ધસી ગઈ છે. લોકલ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ મામલે મદદ માટે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની સરકારને વિનંતી કરી છે. 

બહુગુણાનગરના અનેક પરિવારોએ તેમનાં ઘર છોડીને અન્ય વિસ્તારોમાં રહેતા તેમનાં રિલેટિવ્સને ત્યાં આશરો લીધો છે. કર્ણપ્રયાગના ઉપર બઝાર વૉર્ડના ૩૦ પરિવારો પણ એવી જ ભયાનક સ્થિતિમાં મુકાયા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે.



સિતારગંજના વિધાનસભ્ય સૌરભ બહુગુણાએ જણાવ્યું હતું કે ‘જોશીમઠની આસપાસનાં ગામોમાં પણ એ જ રીતે જમીન ધસવાની સ્થિતિ છે. જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 10:50 AM IST | Chamoli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK