Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રધાનનું રાજીનામું લેવાથી સરકાર નબળી નહીં થાય: અણ્ણા હઝારેનો નરેન્દ્ર મોદીને પત્ર

પ્રધાનનું રાજીનામું લેવાથી સરકાર નબળી નહીં થાય: અણ્ણા હઝારેનો નરેન્દ્ર મોદીને પત્ર

Published : 23 July, 2026 07:46 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪ અને ૨૦૨૬માં NEET પેપર-લીકના આરોપો તથા વિદ્યાર્થીઓની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર નીચલા સ્તરના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.

અણ્ણા હઝારે

અણ્ણા હઝારે


સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)માં થયેલા ગોટાળા અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. 

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વધી રહેલી માગ વચ્ચે અણ્ણા હઝારેએ પત્રમાં લખ્યું હતું કે ‘કોઈ પણ પ્રધાનનું રાજીનામું લેવાથી સરકાર સત્તા ગુમાવતી નથી, પરંતુ એનાથી અન્ય પ્રધાનોમાં જવાબદારીનો એક મજબૂત સંદેશ જાય છે.’ 



૨૦૨૪ અને ૨૦૨૬માં NEET પેપર-લીકના આરોપો તથા વિદ્યાર્થીઓની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર નીચલા સ્તરના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 07:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK