Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેદારનાથ જવા માટે બનશે સાત કિલોમીટર લાંબી ટનલ

કેદારનાથ જવા માટે બનશે સાત કિલોમીટર લાંબી ટનલ

Published : 06 January, 2026 04:24 PM | IST | Kedarnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુસાફરીનો સમય ઘટાડવા અને યાત્રાળુઓની સલામતી વધારવાના પ્રયાસમાં સરકારે ગુપ્તકાશી નજીક કાલીમઠ ખીણમાં ચૌમાસીને સોનપ્રયાગ સાથે જોડતી ૭ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે...

કેદારનાથ જવા માટે બનશે સાત કિલોમીટર લાંબી ટનલ

કેદારનાથ જવા માટે બનશે સાત કિલોમીટર લાંબી ટનલ


ચારધામમાં સૌથી વધારે કઠણ માનવામાં આવતી કેદારનાથ યાત્રાને સુગમ બનાવવા, મુસાફરીનો સમય ઘટાડવા અને યાત્રાળુઓની સલામતી વધારવાના પ્રયાસમાં સરકારે ગુપ્તકાશી નજીક કાલીમઠ ખીણમાં ચૌમાસીને સોનપ્રયાગ સાથે જોડતી ૭ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે રોપવે પ્રોજેક્ટનું પ્રારંભિક બિંદુ છે અને એ યાત્રાળુઓને મંદિર સુધી લઈ જશે.

ટ્‌વિન ટ્યુબ ટનલ ફક્ત એક વિકલ્પ જ નહીં પરંતુ કટોકટી અને ખરાબ હવામાનની સ્થિતિમાં સલામત રીતે બહાર નીકળવાના માર્ગ તરીકે પણ ઉપયોગી થશે.

કેદારનાથ મંદિર સાથે વધુ સારી કનેક્ટિવિટી માટે સરકાર ચૌમાસી બાજુથી વૉકવે અને પગપાળા ટનલ માટે શક્યતાની ચકાસણી કરશે. હાલમાં સોનપ્રયાગ અને ગૌરી કુંડ તરફ જતાં બધાં વાહનો NH-107નો ઉપયોગ કરે છે. નવી યોજના મુજબ કાલીમઠ ખીણમાં હાલના એક લેન રોડને બે લેનમાં વિસ્તૃત કરવામાં આવશે, જેથી ટનલ કાર્યરત થયા પછી ટ્રાફિકમાં વધારો થાય તો આ માર્ગ પર પ્રવાસમાં સરળતા રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 04:24 PM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK