લગ્ન સમારોહ દરમિયાન બે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા.
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન(Rajasthan)ના જોધપુર નજીક ગુરુવારે લગ્ન સમારોહ દરમિયાન બે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં લગ્નની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં લીકેજના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે જ્યાં લગ્ન થઈ રહ્યા હતા તે ઘરનો એક ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો.
ADVERTISEMENT
અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે દાઝી ગયાના સમાચાર છે. આ ઘટના જોધપુરથી લગભગ 60 કિલોમીટર દૂર ભૂંગરા ગામમાં બની હતી. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ ગંભીર અકસ્માત છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ
50 ઘાયલોમાંથી 42 લોકોને MGH હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સારવાર ચાલી રહી છે." મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સાંજે હોસ્પિટલમાં ઘાયલોને મળવાના છે.