ઉત્તરપ્રદશના પીલીભીત જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે,જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદશના પીલીભીત જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે,જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મળતી જાણકારી અનુસાર પીલીભીતના ગજરૌલા વિસ્તારમાં એક ઝડપી ગતિએ જતી પિકઅપ વૅન ઝાડ સાથે ટકરાઈ હાઈવે પર પલટી હતી. આ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે. તેમને બરેલી રિફર કરવામાં આવ્યા છે. સવારે ચાર વાગ્યાની આસપાસ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હરિદ્વારથી ગંગામાં સ્નાન કરીને ગોલા પરત ફરી રહેલા ભક્તોથી ભરેલી ટાટા એસ કાર બુધવારે સાંજે 5 વાગે એક ઝાડ સાથે અથડાઈ હતી. ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે ડ્રાઇવરે નિદ્રા લેવાના કારણે આ અકસ્માત થયો હતો.
જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોને મૃત જાહેર કરાયા હતા. અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે, એક વ્યક્તિને બરેલી રિફર કરવામાં આવ્યો છે. પીલીભીતની જિલ્લા હોસ્પિટલમાં છ લોકોની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરે, પોલીસ અધિક્ષક દિનેશ કુમાર પી. જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરેએ જણાવ્યું કે હરિદ્વારથી ગોલા પરત ફરતી વખતે ગજરૌલા પાસે આ દર્દનાક અકસ્માત થયો. જેમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. કારમાં કુલ 17 લોકો સવાર હતા.