Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભવન, ચોપાટીમાં બુધવારે વર્ષા અડાલજાના વાર્તાલાપનું આયોજન

ભવન, ચોપાટીમાં બુધવારે વર્ષા અડાલજાના વાર્તાલાપનું આયોજન

Published : 08 June, 2025 07:34 AM | Modified : 09 June, 2025 06:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉ પ્રીતિ જરીવાલા પ્રાસ્તાવિક વક્તવ્ય આપશે તેમ જ વર્ષાબહેનની કૃતિનું એકોક્તિરૂપે સાભિનય પઠન કરશે

સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજા

અવસર

સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજા


ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા બુધવાર, ૧૧ જૂને જેમની કલમથી ૨૬ નવલકથાઓ અને સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓનું સર્જન થયું છે એ ગુજરાતી ભાષાનાં સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજાના એક રસપ્રદ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. વાર્તાલાપનો વિષય છે ‘નવલકથાની સર્જન કથા - વિચારથી વિમોચન સુધી’. ડૉ પ્રીતિ જરીવાલા પ્રાસ્તાવિક વક્તવ્ય આપશે તેમ જ વર્ષાબહેનની કૃતિનું એકોક્તિરૂપે સાભિનય પઠન કરશે. શ્રોતાઓ સાથે વર્ષાબહેનની પ્રશ્નોત્તરી યોજાશે. આ કાર્યક્રમનાં સંકલ્પના તથા સંયોજન નિરંજન મહેતાનાં છે. આયોજન અજિંક્ય સંપટનું છે. આ કાર્યક્રમમાં રસિકોને પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળ ઃ ગીતા મંદિર ઍર-કન્ડિશન્ડ હૉલ, ભવન (ચોપાટી). સમય ઃ સાંજે ૬ વાગ્યે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK