Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની ચૂંટણી યોજવામાં તમને કેમ ડર લાગે છે? સંજય રાઉતનો સત્તાને સણસણતો પ્રશ્ન

BMCની ચૂંટણી યોજવામાં તમને કેમ ડર લાગે છે? સંજય રાઉતનો સત્તાને સણસણતો પ્રશ્ન

21 May, 2023 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર આને કારણે શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધ્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાજ્યની અનેક મહાનગર પાલિકાઓની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં વિવિધ કારણોસર ચૂંટણીઓ બાકી છે. આ જ ક્રમમાં બૃહન્મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી (BMC Election) પણ બાકી છે. દરમિયાન, શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર આને કારણે શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે એમ પણ કહ્યું છે કે તમે કોર્ટના ખભા પર બંદૂક કેમ રાખો છો.


સંજય રાઉતે શું કહ્યું?



આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે, “તમે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી કરાવવામાં તમારી કેમ ફાટે છે? જરા કહો. ચૂંટણી કરવો, કેમ ભાગી રહ્યા છો? તમે કોર્ટના ખભા પર બંદૂક કેમ મૂકી રહ્યા છો? કોર્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોર્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મેદાનમાં આવો, તમે મેદાનમાંથી કેમ ભાગી રહ્યા છો. દિલ્હી દળોને અહીં બોલાવવામાં આવશે, કર્ણાટકમાં પણ તમે 200 સીટો જીતવાના હતા. વડાપ્રધાને તમામ સૈનિકો ત્યાંથી ઉતાર્યા હતા, ફક્ત રાષ્ટ્રપતિ જ બાકી હતા.” સંજય રાઉતે એમ પણ કહ્યું કે, “તેમણે લોકસભા ચૂંટણીમાં ભલે 150ની વાત કરી હોય, પરંતુ અમે તેમને 60ની અંદર ઓલઆઉટ કરી દઈશું.”


40 ધારાસભ્યો પણ નોટબંધીથી મૂંઝવણમાં

સંજય રાઉતે 2000 રૂપિયાની નોટબંધી પર ફરી એકવાર શિંદે જૂથ સાથે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાજ્યમાં વર્તમાન મહારાષ્ટ્ર સરકાર અને ભાજપમાં કાળું નાણું પડેલું છે. ખેડૂતો અને મજૂરોના ખિસ્સામાં 2000ની નોટ છે, જેથી તે તમામ 40 ધારાસભ્યો પણ મૂંઝવણમાં છે. 2000ની તમામ નોટો બોક્સમાં વહેંચાઈ ગઈ છે, હવે તે બોક્સનું શું કરવું તેની ભારે મૂંઝવણ ચાલી રહી છે.


આ પણ વાંચો: સત્યમેવ જયતે

અજિત પવારના નિવેદન પર પ્રતિક્રિયા

રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા અને રાજ્યમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં NCP મોટો ભાઈ છે. દરમિયાન આ અંગે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, “દરેકનો ડીએનએ ટેસ્ટ કરવો પડશે. શિવસેના ભાજપ ગઠબંધનમાં નાના ભાઈ અને મોટા ભાઈનો મુદ્દો પણ સામે આવ્યો હતો. ત્યારે પણ અમે કહ્યું હતું કે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે, પરંતુ મહાવિકાસ આઘાડીમાં આવો કોઈ ફરક નથી. આથી સંજય રાઉતે કહ્યું છે કે દરેક પોતાની પાર્ટીનો પક્ષ રજૂ કરી રહ્યા છે.”

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK